સુરત-નવસારીમાં “તારાજી” : માંગરોળના વાંકલ અને નવસારીના બીલીમોરામાં SDRFની ટીમે કર્યું 51 લોકોનું રેસક્યું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે  SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.

New Update

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ અને નવસારી જિલ્લાના બીલીમોરામાં ભારે વરસાદના કારણે જળબંબાકારમાં ફસાયેલા 51 લોકોનુંSDRFની ટીમ દ્વારા રેસક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે  SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા. વાંકલ ગામથી પસાર થતી ભુખી નદીના કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે SDRFની ટીમ દ્વારા 10 મહિલાઓ9 પુરુષો તથા 2 બાળકો મળી 21 લોકો તથા પશુઓને રેસક્યું કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફનવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતા અસરગ્રસ્ત વિસ્તારના 30 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા. કાવેરી નદીમાં જળસ્તર વધતાદેસરા રામજી મંદિરકુંભારવાડની આસપાસ રહેતા નાગરીકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બીલીમોરા નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી 30 લોકોને દેસરા સ્કૂલ ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.