સુરત : ભેસ્તાનમાં આવાસની છત તુટી પડતાં બાળકીનું મોત, ફલેટધારકોનો પીએમ રૂમની બહાર દેખાવો

ભેસ્તાનમાં બનેલી ઘટના બાદ લોકોમાં ફેલાયો રોષ, મધ્યપ્રદેશનો પરિવાર ભાડેથી આવાસમાં રહેતો હતો.

New Update
સુરત : ભેસ્તાનમાં આવાસની છત તુટી પડતાં બાળકીનું મોત, ફલેટધારકોનો પીએમ રૂમની બહાર દેખાવો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવાસની છતનો કાટમાળ પડવાના કારણે એક વર્ષીય બાળકીનું મોત થયું છે જયારે તેના માતા-પિતાને સામાન્ય ઇજા પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલા આવાસના રહીશોએ નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાવો યોજી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

સુરતમાં ગોલવાડ બાદ હવે ભેસ્તાનમાં મકાન તુટવાની ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં બનાવવામાં આવેલાં આવાસો આઠ વર્ષમાં જ જર્જરીત બની ગયાં છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો જીવના જોખમ સાથે આવાસોમાં વસવાટ કરી રહયાં છે. ભેસ્તાન આવાસમાં મુળ મધ્યપ્રદેશનો પરિવાર ભાડેથી રહેતો હતો. ગત રાત્રિના સમયે માતા-પિતા અને તેમની પુત્રી ઉંઘી રહયાં હતાં તે સમયે અચાનક છતના પોપડા ખરવા લાગ્યા હતાં. સિમેન્ટ અને કોંક્રિટના મોટા ટુકડાઓ પરિવારના સભ્યો પર પડયાં હતાં. અચાનક થયેલા અવાજના પગલે આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં. તેમણે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડયાં હતાં. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તબીબોએ મૃત ઘોષિત કરી હતી.

આ પરિવારની અન્ય દીકરી નાનાના ઘરે સુવા માટે ગઇ હોવાથી તેનો બચાવ થયો હતો. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. બાળકીના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા શરૂ કર્યા હતા.પરિવારે ન્યાયની માંગ કરી હતી.તંત્રની કામગીરી પ્રત્યે લોકોએ રોષ વ્યકત કર્યો હતો. મૃતક બાળકીના પરિવારને આર્થિક સહાય ચુકવવાની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.