Connect Gujarat
ગુજરાત

સુરત: કોરોનના કેસ ઘટતા એરપોર્ટ ધમધમ્યુ, એક જ દિવસમાં 1030 મુસાફરો નોધાયા

સમગ્ર રાજ્ય સહિત સુરતમાં કોરોનના કેસ ઘટ્યા, સુરત એરપોર્ટ ધમધમ્યુ.

X

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા એરપોર્ટ પર મુસાફરોની અવરજવર વધી છે એકજ દિવસમાં સૌથી વધુ 1030 મુસાફરો કોરોનાની બીજી લહેર ઓછી થયા બાદ નોંધાયા છે.

સમગ્ર દેશમાં વેપાર ધંધાની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે સુરતમાં આવતા મુસાફરોને આરટીપીસીઆરની ચકાસણી બાદ જ પ્રવેશ આપવા આવી રહ્યો છે. કોરોના કેસ ઘટતા એરપોર્ટ પર મુસાફરોની અવરજવર વધી છે સોમવારે 552 મુસાફર સુરતથી રવાના થયા તેની સામે 478 મુસાફર પરત આવ્યા છે એક જ દિવસમાં સૌથી વધુ 1030 મુસાફરો કોરોનાની બીજી લહેર ઓછી થયા બાદ નોંધાયા છે. જો કે હાલમાં પણ સુરત એરપોર્ટ પર ગણતરી ની જ ફલાઇટ ચાલુ છે છતાં મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

Next Story