સુરેન્દ્રનગર : અમદાવાદના પરિવારને લખતર નજીક નડ્યો અકસ્માત, કાર પલટી મારી જતાં 4 લોકોના મોત

જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે કાર પલટી મારી જતાં અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

New Update
સુરેન્દ્રનગર : અમદાવાદના પરિવારને લખતર નજીક નડ્યો અકસ્માત, કાર પલટી મારી જતાં 4 લોકોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે કાર પલટી મારી જતાં અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક આવેલ કડું કેનાલ પાસે કાર પલટી મારી જતાં ઘટના સ્થળે 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર અકસ્માત થયો હોવાની જાણ થતાં જ સુરેન્દ્રનગર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો પરિવાર સુરેન્દ્રનગરના દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવતો હતો,

ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે ઇજાગ્રસ્ત 2 બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે.

Advertisment