સુરેન્દ્રનગર : ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

New Update

વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીકનો બનાવ

મુખ્ય માર્ગ ઉપર ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું

ધસમસતા પાણીમાં ખાનગી સ્કૂલની બસ ફસાય

બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા

રેસક્યું કરી વિદ્યાર્થીઓને બસની બહાર કઢાયા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

મળતી માહિતી અનુસારસુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન માર્ગ પર ભારે વરસાદના કારણે ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું હતું. જેના કારણે અહીથી પસાર થતી ખાનગી સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. ભોગાવો નદીના ધસમસતા પાણીમાં ખાનગી સ્કૂલની બસ ફસાય ગઈ હતી. આ ઘટનાના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકેબસના ચાલકે સમય સૂચકતા વાપરી તમામ વિદ્યાર્થીઓની સલામતી જાળવી હતી. ડ્રાઇવર સીટની બાજુમાં રહેલા દરવાજામાંથી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી રેસક્યું કરતા આબાદ બચાવ થયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.