/connect-gujarat/media/post_banners/d87a499da524999f84dea5209ff1b0a958de3a5765bb60f7295027c0d2ada705.jpg)
અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અખંડ આનંદ ગ્રુપ દ્વારા અંદાજે 10 હજારથી વધુ દિવડાઓ તેમજ ભગવાન શ્રી રામના ફોટાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ લીંબડી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં રામ નામના અજવાળા કાર્યક્રમ અંતર્ગત દિવડાઓ તેમજ ભગવાન શ્રી રામના ફોટાનું વિતરણ કરાતા સમગ્ર માહોલ રામમય બન્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને રામભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી, જ્યારે ભગવાન જય શ્રી રામના નારા સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો.