Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: સાયલામાં ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા; જાણો શું છે કારણ

સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે

X

સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે. જેને કારણે આ ગુનો હત્યામાં પરિણમ્યો છે. અંદાજે 15થી વધુ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો તેમજ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. અગાઉની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો. સુદામડાના સરપંચના ઉમેદવાર સહિત 2 સાથીદારો ફોર્મ ચકાસણી બાદ બોલેરોમાં સુદામડા જઇ રહ્યા હતા. દરમિયાન ડમ્પર સાથે અકસ્માત કરીને કેટલાક શખ્સોએ કુહાડી, ધારીયુ અને લાકડી લઇને હુમલો કરી દીધો હતો. જેમાં 5 યુવાનોને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાં ખેંગારભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં તેમનુ સારવાર દરમિયાન નિધન થયું છે.

Next Story