સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના શિલ્પકારની અયોધ્યામાં કલાકારી, પથ્થરમાંથી બનાવી રામ દરબારની અદભૂત પ્રતિકૃતિ...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે.

New Update
  • અયોધ્યા રામ મંદિરમાં પહોંચી ધ્રાંગધ્રાના શિલ્પીની કલા

  • હિતેશ સોમપુરાએ બનાવી દેવી-દેવતાઓની 1800 મૂર્તિ

  • પથ્થરમાંથી બનાવી રામ દરબારની અદભૂત પ્રતિકૃતિ

  • રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કાર્યકમમાં ઉત્સવનો માહોલ

  • અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના શિલ્પી કલાકારે બનાવેલી વિવિધ મૂર્તિઓનું અયોધ્યા રામ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે. આ કલાકૃતિઓ મંદિરના ઘુમ્મટપ્રદક્ષિણા માર્ગશિખરના ગોખસ્તંભો અને રામ દરબારના પ્રવેશદ્વાર પર જોવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ મંદિરની અંદર અત્યાર સુધીમાં કુલ 1800થી વધુ વિવિધ મૂર્તિઓ ધ્રાંગધ્રાના કારીગર દ્વારા બનાવવામાં આવી છે. સોમપુરા પરિવારના આ શિલ્પી કલાકારને મૂર્તિ બનાવવાનું કામ મળ્યું હતુંત્યારે અયોધ્યા રામમંદિર ખાતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકમમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

પ્રતિષ્ઠા કાર્યકમમાં ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પણ મૂર્તિઓ સ્થાપિત કરાય છેત્યારે ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે કેસુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાના શિલ્પી કલાકાર હિતેશ સોમપુરાએ પથ્થરમાંથી બનાવેલી વિવિધ મૂર્તિઓને અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો જેવા કેઘુમ્મટસ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદક્ષિણા અને રામ દરબારના મુખ્ય દ્વાર પાસેના ભાગોમાં મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કેધ્રાંગધ્રાના શિલ્પી કલાકારો રાજ્યના વિવિધ જિલ્લા કે અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પથ્થરમાંથી મૂર્તિ બનાવીને મોકલે છે. તેમજ તેઓ મંદિર નિર્માણ કરવા માટે પણ બહારગામ જતા હોય છે.

Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.