/connect-gujarat/media/post_banners/ed79ae2c081bcb7f615cd9a1a4507faf9f42c983bce93ee3a2bc451ea8f1cba9.jpg)
સુરેન્દ્રનગર જીલ્લામાં પાટડી તાલુકાના છેવાડાના મેરા ગામે રાતના સમયે સુઇ રહેલા દંપતી પર હુમલો કરી પત્નીનું મોત નિપજાવી પતિને ઘાયલ કરી બે અજાણ્યા હુમલાખોર ફરાર થતા નાના એવા ગામમાં રાતના સમયે દેકારો બોલી ગયો હતો.
સુરેન્દ્રનગર જીલ્લામાં પાટડી તાલુકાના છેવાડાના મેરા ગામે રહેતા દલીત પરીવારના દંપતી પાલાભાઇ વાઘેલા અને તેમની પત્ની ઘરના રાતના સમયે સુતા હતા ત્યારે રાતના અઢી વાગ્યે બે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી અને પતિ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો અને હુમલાખોરોએ પત્નીનું ગળુ કાપી અને હત્યા કરી નાખી હતી અને પાલાભાઇએ પ્રતિકાર કરતા હુમલાખોરોએ ત્રિક્ષણ હથીયારથી હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.નાના એવા ગામમાં રાતના સમયે દલીત પરીવાર પર હુમલો અને હત્યા થતા દેકારો બોલી ગયો હતો અને ગામલોકો ભેગા થયા હતા.
ગામ લોકોએ ઘટના અંગે પાટડી પોલીસને જાણ કરતા પાટડી પોલીસ સહિત DYSP DSP સહિતનો પોલીસ કાફલો મેરા ગામે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે પાટડી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આગળની તપાસ હાથ ધરી હતી.પરંતુ લૂંટ થયેલ નથી તેમજ ઘરમાંથી કોઇ વસ્તુ ગુમ નથી તો હત્યાનું કારણ શુ હોઇ શકે તે જાણવા પોલીસ તપાસ હાથ ધરી અને હત્યારાઓ સુધી પોહોચવા મથામણ કરી રહી છે પરંતુ હવે એ જોવુ રહયુ કે હત્યારાઓ કયારે ઝડપાઇ છે અને હત્યાનું કારણ શુ બાહાર આવે છે .