સુરેન્દ્રનગર : રણ વિસ્તારમાંથી વન્યજીવ સાંઢા સાથે વન વિભાગે કરી શિકારીની ધરપકડ...

સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

New Update
સુરેન્દ્રનગર : રણ વિસ્તારમાંથી વન્યજીવ સાંઢા સાથે વન વિભાગે કરી શિકારીની ધરપકડ...

સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ શિકારી પાસેથી વન વિભાગે વન્યજીવ સાંઢા, ધારીયું તેમજ કોશ જેવા શિકાર કરવાના સાધન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલ રણ વિસ્તાર સહિતના અમુક વિસ્તારોમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જોકે, અહીના વિસ્તારમાંથી અવારનવાર ગેરકાયદેસર શિકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે વન વિભાગને મળેલી બાતમીના આધારે ધાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે એક શિકારીને વન્યજીવ સાંઢા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં એક મૃત અને 3 ઇજાગ્રસ્ત જીવિત હાલતમાં મળી કુલ 4 જેટલા વન્યજીવ એવા સાંઢા, ધારીયું તેમજ કોશ જેવા શિકાર કરવાના સાધનો તેમજ એક મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ સાંઢા નામના વન્યજીવનો ઉપયોગ દવાઓ બનાવવા અને તેના તેલ તેમજ માંસનો ઉપયોગ ખાવા માટે થતો હોય છે, ત્યારે આ શિકારી ઝડપાતા વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત વન વિસ્તારમાં ગેરકાયદે શિકાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories