સુરેન્દ્રનગર : મોબાઇલ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ,પોલીસે બે મહિલાની કરી ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાતમીના આધારે પાણશીણા પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓની ધરપકડ કરી હતી.

New Update
  • મોબાઈલ ચોર મહિલા ગેંગનો પર્દાફાશ

  • પાણશીણા પોલીસે બે મહિલાની કરી ધરપકડ

  • 21 ચોરીના મોબાઈલ ફોન સાથે બે મહિલા ઝડપાઈ 

  • અમદવાદમાં મોબાઈલ ચોરીને મહિલાઓએ આપ્યો હતો અંજામ

  • રાજકોટમાં ગુજરી બજારમાં મોબાઈલ વેચવાન જતા ઝડપાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાતમીના આધારે પાણશીણા પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે ચોરી કરેલા 21 મોબાઇલ પણ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર પાણશીણા પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથધરીને મોબાઈલ ચોરીને અંજામ આપતી મહિલા ગેંગનો પર્દાફાશ કર્યો હતો,પોલીસે એક ઈક્કો કાર શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી, અને પોલીસે કારમાં બેઠેલી બે મહિલાઓ પર શંકા જતા મહિલા પોલીસ બોલાવી બન્ને મહિલાઓના થેલાની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. મહિલાઓના થેલામાંથી જુદી જુદી કંપનીના એન્ડ્રોઇડ 21 મોબાઇલ મળી આવ્યા હતા.જેથી પોલીસે આ મોબાઇલ બાબતે પુછપરછ કરતા બંને મહિલાઓ ગલ્લા તલ્લા કરતી હતી અને આ મળી આવેલા મોબાઇલ બાબતે કોઈ બીલ કે કાગળો નહિ હોવાનું રટણ કરતી હતી. જેથી પોલીસે બંને મહિલાઓને પાણશીણા પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં આરોપી મહિલાઓ દિવ્યા કરણભાઇ સોલંકી અને રંગીલા સવજીભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસની સઘન તપાસમાં મહિલાઓએ અમદાવાદના  જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી,અને રાજકોટમાં ભરાતા ગુજરી બજારમાં વેચવા માટે જતી હોવાનું જાણવા મળ્યું હતું,પોલીસે હાલ બંને મહિલાઓની ધરપકડ કરીને 21 મોબાઈલ જપ્ત કર્યા છે,અને વધુ તપાસ શરૂ કરી છે.

 

 

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.