સુરેન્દ્રનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા ખાતે “ગુજરાત ગુરુકુળ મહાસંમેલન” યોજાયું...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update
  • ધ્રાંગધ્રા ખાતે ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું આયોજન

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન

  • વર્તમાન ગુરુકુળો દ્વારા પ્રાચીન જ્ઞાન પરંપરાનું અનુસરણ

  • બાળકોના ઘડતર-માનવતા નિર્માણનું ઉમદા કાર્ય : રાજ્યપાલ

  • નવી શિક્ષણનીતિ સમાજ નિર્માણ માટે ઉપયોગી : રાજ્યપાલ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના 100થી વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતોશિક્ષણવિદો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ-ગુરુકુળ ખાતે'ગુજરાત ગુરુકુળ મહાસંમેલન'નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેઓએ ગુરકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યુ હતું કેપ્રાચીન ભારતીય ગુરુકુળોમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો હતો. બાળકનું એક તપસ્વીની જેમ ઘડતર કરવામાં આવતું હતું. બાળક એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. રાજ્યપાલએ ભારતની આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિને જનમાનસ સુધી પહોંચાડવા'ગુજરાત ગુરુકુળ મહાસંમેલન'ને સુંદર પહેલ ગણાવી હતી.

આ સાથે જ નવી શિક્ષણનીતિ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પાંચજન્યના સંપાદક હિતેશ શંકરસ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ-ધ્રાંગધ્રાના સ્થાપક રામકૃષ્ણદાસ સ્વામીભારત પ્રકાશન લિ.ના નિર્દેશક વ્રજબિહારીજીવડતાલ ગુરુકુળના અધ્યક્ષ દેવપ્રકાશદાસજીધારાસભ્ય પ્રકાશ વરમોરાજિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલજિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકપોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા સહિત ગુજરાત રાજ્યના 100થી પણ વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતોશિક્ષણવિદોઅન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.