સુરેન્દ્રનગર : થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર ખાણ ખનીજ વિભાગ-પોલીસના દરોડા

થાનગઢ ખાતે આવેલ ભલુડો વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. જેના પર સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપી ટીમે દરોડા પાડ્યા હતા.

New Update

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલ ભલુડો વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. જેના પર સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપી ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 15થી વધુ ટ્રેક્ટર, 10થી વધુ ચરખી અને લાખથી વધુ કોલસ સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. થાનગઢમાં અનેક પ્રકારના વિવિધ ખનીજો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે.

ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદે ખાડા પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા. પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી આ ખાડાઓ ધમધમતા થયા છે. ત્યારે થાનગઢ ભલુડો વિસ્તારની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસ સ્ટેશન અને મામલતદાર ખાતાને અંધારામાં રાખીને મોડી સાંજે લીંબડી ડીવાઇસપી રબારી ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ અને ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અંદર 15થી પણ વધારે ટ્રેક્ટર, 10થી પણ વધારે ચરખી લાખ કિલોથી પણ વધારે કોલસો પકડી પડાયો હતો. આમ અચાનક દરોડાથી થાનગઢ કોલસા માફિયામાં અચાનક જ દરોડો પડતા ભાગદોડ મચી હતી. 

Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.