સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના મેથાણમાં 100થી વધુ મહિલાઓ છેતરપિંડીનો બની ભોગ

ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી

New Update
  • ધ્રાંગધ્રામાં મહિલાઓ બની છેતરપિંડીનો ભોગ

  • પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવમાં રોકાણ કરાવી કૌભાંડને અંજામ આપ્યો

  • 100 થી વધુ મહિલાઓ બની કૌભાંડનો ભોગ

  • રૂપિયા પોણા એક કરોડનું મસમોટું કૌભાંડ આવ્યું બહાર

  • એજન્ટો અને કર્તાહર્તાઓ ઓફિસને તાળા મારી ફરાર

 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે પોણા એક કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં રોકાણ કરાવી કૌભાંડને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં જ BZ ગ્રુપના કૌભાંડે પોલીસ તંત્ર સહિત રાજકીય ઈમારતોને પણ ધ્રુજાવી દીધી છે,ત્યારે હજી આ પોન્ઝી સ્કીમના કૌભાંડીઓ પોલીસ પકડથી દૂર છે ,ત્યાં જ વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની 100થી વધુ મહિલાઓને શિકાર બનાવી એક જ ગામમાંથી રૂપિયા પોણા એક કરોડનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે.

મહિલાઓ પાસે દર વર્ષે રૂપિયા 12,000 લેખે છ વર્ષના રૂપિયા 72,000 રોકડા અને રૂપિયા 1,000 વીમાના મળી કુલ રૂપિયા 73,000નું રોકાણ કરી એમને પછી રૂપિયા 98,000 પાછા આપવાનો વાયદો કર્યો હતો,અને એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધ્રાંગધ્રામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  

ભોગ બનનાર મહિલાઓ દ્વારા આ કંપનીના બનાસકાંઠાના એક ગામમાં રહેતા માલિકો રમણ તેમજ તેજલને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને તેઓના રોકાણના પૈસા પરત આપવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. 

જ્યારે મેથાણ ગામમાં ત્રણ બહેનોને આ કંપની દ્વારા એજન્ટ બનાવવામાં આવ્યા હતા.ઇન્દુબેન,સવિતાબેન અને સુશીલાબેન દ્વારા ગામની મહિલાઓને સ્કીમમાં રોકાણ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર બાબતે જરૂરી કાર્યવાહી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે