સુરેન્દ્રનગર : ધન તેરસ નિમિત્તે ધ્રાંગધ્રાના મહાલક્ષ્મી મંદિરે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરાયો…

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે આજે ધન તેરસ નિમિત્તે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

New Update

ધ્રાંગધ્રાના મહાલક્ષ્મી મંદિરે ધન તેરસનો દિવ્ય શણગાર

રૂ. 2 લાખની ચલણી નોટ સહિત આભૂષણોનો શણગાર

ધન તેરસ નિમિત્તે વિશેષ મહાપુજનનું આયોજન કરાયું

વહેલી સવારથી દર્શન માટે દર્શનાર્થીઓની કતાર લાગી

દિવ્ય શણગારના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે આજે ધન તેરસ નિમિત્તે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે ધનતેરસ છેત્યારે આજના દિવસે લોકો લક્ષ્મીજીનું પૂજન કરતા હોય છે. લોકો પણ એવું ઈચ્છતા હોય છે કેમહાલક્ષ્મીજી માતાજી પોતાના ઉપર સદા વરસતા રહેત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે છેલ્લા 100 વર્ષથી દર વર્ષે ધન તેરસ નિમિત્તે ચલણી નોટો તેમજ સોના-ચાંદીના આભૂષણો દ્વારા માતાજીને દિવ્ય શણગાર કરવામાં આવે છેત્યારે ધન તેરસના પાવન અવસરે 2 લાખથી વધુની ચલણી નોટો તેમજ આભૂષણોનો શણગાર કરવામાં અવ્યો હતો. જેના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગી હતી. આજના દિવસે લોકો ઉપર માઁ લક્ષ્મીજીની કૃપા વરસતી રહે તે માટે લોકોએ પ્રાર્થના માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.