સુરેન્દ્રનગર : વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા તત્વો સામે પ્રાંતઅધિકારીની કાર્યવાહીથી ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહનો સામે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં એક મહિનામાં 13 કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

New Update
  • વઢવાણમાં ગેરકાયદેસર ખનીજ વહન પર તવાઈ

  • પ્રાંતઅધિકારી દ્વારા કરવામાં આવી કાર્યવાહી

  • બે દિવસમાં 13 ડમ્પર કરવામાં આવ્યા જપ્ત

  • એક મહિનામાં 15 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

  • તંત્રની કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ 

Advertisment W3.CSS

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહનો સામે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં એક મહિનામાં 13 કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી,જેના કારણે પ્રાંતઅધિકારી દ્વારા ખનીજ વહન કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી હતી.અને કલેકટરની સૂચનાથી છેલ્લા એક માસમાં 35 જેટલા ડમ્પર,બે ઇટાચી મશીન સહિત કુલ રૂપિયા 15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વધુમાં બે દિવસની અંદર 13 જેટલા ખનીજ વહન કરતા ડમ્પર પણ ઝડપી પાડવામાં આવ્યા છે.પ્રાંત અધિકારી દ્વારા ખનીજ વહન કરતા તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો છે.

 

    

Read the Next Article

વલસાડ : શાક માર્કેટ માટે શહેરના મધ્યમાં જગ્યા ફાળવવા માટે વેપારીઓની માંગ,પોલીસે અટકાવી રેલી

રેલી યોજાઈ ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી.જેના કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી,અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
  • શાક માર્કેટ માટે જગ્યા ફાળવણીનો મુદ્દો

  • વેપારીઓ દ્વારા રેલીનું કરાયું હતું આયોજન

  • કલેકટર કચેરી સુધી યોજાવાની હતી રેલી

  • શહેરના મધ્યમાં માર્કેટ માટે જગ્યાની કરી રહ્યા છે માંગ

  • રેલી યોજાય ત્યાર પહેલા જ પોલીસે વેપારીઓને અટકાવ્યા 

Advertisment W3.CSS

વલસાડમાં શાકભાજી માર્કેટ માટે જગ્યા ફાળવણી મુદ્દે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે,અને વેપારીઓ દ્વારા પોતાની માંગ મુદ્દે જિલ્લા કલેકટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,પરંતુ રેલી યોજાય ત્યાર પહેલા જ પોલીસે રેલી અટકાવી દીધી હતી.

વલસાડમાં થોડા સમય અગાઉ શાકમાર્કેટ હટાવવા મુદ્દે વેપારીઓ અને તંત્ર વચ્ચે ચકમક સર્જાઈ હતી.જોકે ત્યાર બાદ જિલ્લા કલેકટર દ્વારા શાકમાર્કેટ માટે અન્યત્ર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે શાકભાજીના વેપારીઓએ જિલ્લા કલેકટરનો આ પ્રસ્તાવ અસ્વીકાર કરીને શાક માર્કેટ માટે શહેરના મધ્યમાં જગ્યા ફાળવવા માટે માંગ કરી રહ્યા છે, ત્યારે શાકભાજીના વેપારીઓએ એકત્ર થઈને જિલ્લા કલેકટર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે રેલી યોજાઈ ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી.જેના કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી,અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.