સુરેન્દ્રનગર : એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, બસમાં સવાર 7 મુસાફરો ઘાયલ થયા...

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

New Update
  • મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર અકસ્માત

  • એસટી. બસકાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત

  • અકસ્માત થતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

  • બસમાં સવાર 7 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી

  • પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસકાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી. બસકાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. પાટણથી દ્વારકા તરફ જતી એસટી બસને અકસ્માત નડતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જેમાં ચાલકને બચાવવા જતા એસટી. બસ રોડની સાઈડ પર નીચે ઉતરી ઇલેક્ટ્રીક પોલ સાથે અથડાય હતી.

આ ઘટનામાં બસમાં સવાર 7 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત કારને પણ નુકશાન થવા પામ્યું હતું. જોકે1 કલાક જેટલો સમય વીતી જવા છતાં એસટી. વિભાગ દ્વારા અન્ય બસની વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો અટવાયા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ : લુવારા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો,NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયા પાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે.

New Update

લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર

ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી

ફ્લાયઓવરથી  ખેતરમાં ભરાયા પાણી

ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત  

ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છેજેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છેછતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છેજેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.