સુરેન્દ્રનગર : એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, બસમાં સવાર 7 મુસાફરો ઘાયલ થયા...

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

New Update
  • મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર અકસ્માત

  • એસટી. બસકાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત

  • અકસ્માત થતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

  • બસમાં સવાર 7 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી

  • પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

Advertisment

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસકાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી. બસકાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. પાટણથી દ્વારકા તરફ જતી એસટી બસને અકસ્માત નડતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જેમાં ચાલકને બચાવવા જતા એસટી. બસ રોડની સાઈડ પર નીચે ઉતરી ઇલેક્ટ્રીક પોલ સાથે અથડાય હતી.

આ ઘટનામાં બસમાં સવાર 7 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત કારને પણ નુકશાન થવા પામ્યું હતું. જોકે1 કલાક જેટલો સમય વીતી જવા છતાં એસટી. વિભાગ દ્વારા અન્ય બસની વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો અટવાયા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Advertisment
Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Advertisment