બનાસકાંઠા : રાજસ્થાનથી ડીસા તરફ રીક્ષામાં લઈ જવાતા રૂ. 12 લાખના ચરસ સાથે SOG પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 12 લાખના ચરસના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 12 લાખના ચરસના જથ્થા સાથેSOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ વધતા બનાસકાંઠા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. જેમાં બનાસકાંઠા SOG પોલીસે રીક્ષામાંથી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે રીક્ષામાં રહેલા ચરસના જથ્થા સાથે 2 શખ્સોની અટકાયત પણ કરી હતી. આ ચરસની અંદાજે કિંમત રૂ. 12.84 લાખ થવા જઈ રહી છે. રાજસ્થાનથી ડીસા તરફ રીક્ષામાં ચરસ લઈ જવાતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છેત્યારે હાલ તો બનાસકાંઠા SOG પોલીસે રૂ. 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.