છેલ્લા 21 દિવસથી અંબાજી-ગબ્બરમાં આંટાફેરા મારતા રીંછનું વન વિભાગે રેસક્યું કર્યું...

બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી આટાફેરા મારતા રીંછનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

New Update

બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી આટાફેરા મારતા રીંછનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રીંછ પાંજરે પુરાતા સમગ્ર પંથકના લોકો તેમજ આગામી ભાદરવી પૂનમના મેળામાં આવનારા માઈભક્તો ભયમુક્ત બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં અવારનવાર વન્યપ્રાણીઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છેત્યારે અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી 4 વખત રીંછના આટાફેરા જોવા મળતા લોકો ભયભીત બન્યા હતાઅને આ રીંછને પકડવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તો બીજી તરફઆગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થનાર હોયત્યારે મેળામાં લાખો માઈભક્તો માઁ અંબાના દર્શન માટે આવતા હોવાથી વહીવટી તંત્રની પણ ચિંતાઓ વધી હતી. જોકેઆ રીંછને પકડવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. અને જે વિસ્તારમાં રીંછનું સતત અવરજવર છે તે વિસ્તારમાં રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમની મદદથી અલગ અલગ જગ્યાએ 6 જેટલા પાંજરા મુકવામાં આવ્યા હતા. જોકેરાત્રિના સમયે ફરી એકવાર રીંછ દેખાતા તેને બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યું હતું. રીંછ પાંજરે પુરાતા રેસ્ક્યુ ટીમવન વિભાગ સહિત આસપાસના સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.