અમરેલી: સાવરકુંડલામાં ધોળા દિવસે હીરાના કારખાનેદારના અપહરણથી ચકચાર,પોલીસે કરી 4 આરોપીઓની ધરપકડ

સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે હીરાના કારખાનેદારની થયેલ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા

New Update
  • સાવરકુંડલામાં હીરા કારખાનેદારના અપહરણની ઘટના

  • ધોળે દિવસે સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ કર્યું અપહરણ

  • પોલીસે ગણતરીના સમયમાં જ 4 આરોપીઓની કરી ધરપકડ

  • પોલીસે અપહરણકર્તાની કેદમાંથી યુવકને કરાવ્યો મુક્ત

  • આર્થિક લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાનું કારખાનું ધરાવતા યુવકનું સ્વિફ્ટ કારમાં આવેલા 3 યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં આવેલા અપહરણકારો ભરત પાઘડાળનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા.સુરતના બારડોલી ખાતે આ ભરત પાઘડાળ હીરાનું કારખાનું ધરાવતો હતો,જોકે કારખાનામાં ખોટ જતાં સાવરકુંડલા આવ્યો હતો.અને પૈસાની લેતી દેતીમાં અપહરણ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું,

ઘટનામાં અમરેલી LCB, SOG અને સાવરકુંડલા સીટી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણકર્તા 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ગોંડલ નજીકથી ઝડપી લેવામાં પોલીસ તંત્ર સફળ થયું હતું.

અપહરણકર્તા રાજકોટ જિલ્લાના નાના ઈંટોળાના તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજારાજકોટના મેટોડા ગામના ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાજૂનાગઢના કેશોદના કિશોર નારણ પંપાણીયા અને પિયુષ રામજી સાવલિયાની હીરાનું કારખાનું ધરાવતા ભરત પાઘડાળને અપહરણ કરતાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો.આરોપીઓને સાવરકુંડલા સીટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

New Update
  • મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં 10 જેટલી અરજીઓ સાંભળવામાં આવી હતી

  • અરજદારોની 8 અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો

  • મામલતદાર તેમજ પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા 

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં અધિકારીઓએ ફરિયાદિને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.