અમરેલી: સાવરકુંડલામાં ધોળા દિવસે હીરાના કારખાનેદારના અપહરણથી ચકચાર,પોલીસે કરી 4 આરોપીઓની ધરપકડ

સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે હીરાના કારખાનેદારની થયેલ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા

New Update
  • સાવરકુંડલામાં હીરા કારખાનેદારના અપહરણની ઘટના

  • ધોળે દિવસે સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ કર્યું અપહરણ

  • પોલીસે ગણતરીના સમયમાં જ 4 આરોપીઓની કરી ધરપકડ

  • પોલીસે અપહરણકર્તાની કેદમાંથી યુવકને કરાવ્યો મુક્ત

  • આર્થિક લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાનું કારખાનું ધરાવતા યુવકનું સ્વિફ્ટ કારમાં આવેલા 3 યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે અપહરણની ઘટનાCCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં આવેલા અપહરણકારો ભરત પાઘડાળનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા.સુરતના બારડોલી ખાતે આ ભરત પાઘડાળ હીરાનું કારખાનું ધરાવતો હતો,જોકે કારખાનામાં ખોટ જતાં સાવરકુંડલા આવ્યો હતો.અને પૈસાની લેતી દેતીમાં અપહરણ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું,

ઘટનામાં અમરેલીLCB, SOG અને સાવરકુંડલા સીટી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણકર્તા 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ગોંડલ નજીકથી ઝડપી લેવામાં પોલીસ તંત્ર સફળ થયું હતું.

અપહરણકર્તા રાજકોટ જિલ્લાના નાના ઈંટોળાના તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજારાજકોટના મેટોડા ગામના ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાજૂનાગઢના કેશોદના કિશોર નારણ પંપાણીયા અને પિયુષ રામજી સાવલિયાની હીરાનું કારખાનું ધરાવતા ભરત પાઘડાળને અપહરણ કરતાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો.આરોપીઓને સાવરકુંડલા સીટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.