દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં મેઘમહેરથી કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું, ખેડૂતોએ પણ કર્યો પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ...

સોળેકળાએ ખીલેલા ડાંગના કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રકૃતીપ્રેમીઓ અને પર્યટકો અહી આવી પ્રાકૃતિક જીવનનો આસ્વાદ માણી રહ્યા છે.

New Update
દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં મેઘમહેરથી કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું, ખેડૂતોએ પણ કર્યો પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ...

દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લામાં મેઘમહેર થતાં પ્રાકૃતિક સોંદર્ય ખીલી ઉઠ્યું છે. સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે. તો આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ કે, ખેડૂતો કેવી રીતે કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી....

તમે જે કુદરતી સોંદર્યનો નજારો જોઈ રહ્યા છો, તે કાશ્મીરનો નહીં પણ આપણા ગુજરાતના ડાંગ જિલ્લાનો છે. પારંપારિક જીવનશૈલી અને વિશેષતાઓને જોતા સરકારે પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. વરસાદના આગમનથી સોળેકળાએ ખીલેલા ડાંગના કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રકૃતીપ્રેમીઓ અને પર્યટકો અહી આવી પ્રાકૃતિક જીવનનો આસ્વાદ માણી રહ્યા છે. પ્રકૃતિની ગોદમાં ઉછરી રહેલા ડાંગ જિલ્લામાં શ્રીકાર વર્ષા થતાં ચોતરફ લીલોતરી છવાઈ છે, ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો પરંપરાગત રીતે સુમેળ સાધી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા એવા ડાંગના ખેડૂતો હાલ જૈવિક ખેતી કરી રહ્યા છે. ખેતરમાં છાણીયું ખાતર નાખી બળદ મારફતે ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક જિલ્લો એવા ડાંગમાં આ વર્ષે સારો વરસાદ વરસતા જ ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. જેમાં ખેડૂતોએ ડાંગર, નાગલી, મકાઈ, તુવેર, અડદ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું છે. આ સાથે જ ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે તેમજ તેમની આવક અને ઉત્પાદનમાં સરકાર દ્વારા સહાય પણ કરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે