નવસારી : વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં વિનાશ વેર્યો, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા...

નવસારી જિલ્લામાં ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, અને ઘરોના પતરા ઉડી ગયા હતા. વૃક્ષો પડવાથી વાહનોને પણ નુકસાન થયું..

New Update
  • શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

  • વાવાઝોડા સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો

  • ગ્રામ્ય વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા

  • વહીવટી તંત્રની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

  • અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાય 

નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો છેત્યારે વહીવટી તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી છે.

નવસારી શહેર તથા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ચીખલીવાંસદા અને ખેરગામ તાલુકામાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાય હતી. વાવાઝોડાના કારણે ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામમાં મોટું નુકસાન થયું છે.

ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતાઅને ઘરોના પતરા ઉડી ગયા હતા. વૃક્ષો પડવાથી વાહનોને પણ નુકસાન થયું હતુંજ્યારે પતરા ઉડવાના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતાતારે વાવાઝોડા બાદ વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાય છે.

આ તરફતંત્રની 11 જેટલી ટીમ ચીખલી તાલુકામાં સર્વેની કામગીરીમાં જોતરાઈ છેત્યારે વહીવટી તંત્રએ અસરગ્રસ્ત તલાવચોરા ગામની મુલાકાત લીધી હતી. તો બીજી તરફતૂટી પડેલા વીજ થાંભલાના સમારકામ અર્થે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Latest Stories