સુપર વાઈઝરે જ ચોરી કરી..! : જુનાગઢ-સુખપુરના વેર હાઉસમાંથી રૂ. 4 લાખના 135 કટ્ટા ચણાની ચોરીનો ભેદ ઉકેલાયો...

સુખપુર ગામે ધ્રુવી પટોડીયા તેમજ જીત પટોડીયાના સર્વે નં.35 પ્લોટ નં.2માંથી 135 કટ્ટા ચણાની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાય હતી. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કંપની સુપર વાઈઝરનો ભાંડો ફૂટ્યો

New Update
  • સુખપુરના વેર હાઉસમાંથી થયેલ ચોરીનો મામલો

  • રૂ. 4 લાખના 135 કટ્ટા ચણાની ચોરી થઈ હતી ચોરી

  • તાલુકા પોલીસે ચણાના કટ્ટાની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • સુપરવાઇઝરે ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું

  • પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢ જિલ્લાના સુખપુરમાં પ્રાઇવેટ કંપનીના વેર હાઉસમાંથી થયેલ રૂ. 4 લાખના 135 કટ્ટા ચણાની ચોરીનો ભેદ પોલીસે ભેદ ઉકેલી કાઢી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે જગ્યા પર નોકરીધંધો કરતા હોય તે જગ્યા પર જ ચોરી છેતરપિંડી થયાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છેત્યારે આવો જ એક ચોરીનો બનાવ જુનાગઢમાંથી સામે આવ્યો છે. સુખપુર ગામે ધ્રુવી પટોડીયા તેમજ જીત પટોડીયાના સર્વે નં.35 પ્લોટ નં.2માંથી 135 કટ્ટા ચણાની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાય હતી. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કંપની સુપર વાઈઝરનો ભાંડો ફૂટ્યો હતો.

વેર હાઉસમાં છેલ્લા 9 મહિનાથી સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રશાંત ધમ્મર નામના યુવકે વેરહાઉસમાં ચણાના કટ્ટાઓમાંથી ચણા કાઢી રૂ. 4,02,500ના જથ્થાની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છેત્યારે હાલ તો પોલીસે આ મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.