ઉના તાલુકાના પાલડી ગામ ખાતેની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

New Update

ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળા ખાતે વિવિધ પ્રકારના 150 થી પણ વધારે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી પાલડી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ વાળા, શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ થકી પાલડી પ્રાથમિક અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની હતી, શાળા દ્વારા વધતા ગ્લોબલ વોર્મિંગને અટકાવવા અને જીવસૃષ્ટિના જતન માટે વૃક્ષો અનિવાર્ય છે,તેવા ઉમદા ઉદેશ્ય સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.