સાબરકાંઠા : પ્રાંતિજની મદ્રેસામાં બાળકો પર ગુજારવામાં આવતા અત્યાચાર મુદ્દે બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ

મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ

New Update
  • પ્રાંતિજની મદ્રેસાના ત્રણ મૌલવી સામે પોલીસ ફરિયાદ

  • વિદ્યાર્થી નોંધાવી પોલીસ ફરિયાદ

  • બાળકો પર ગુજારતા હતા અત્યાચાર 

  • પ્રાંતિજ પોલીસે બે મૌલવીની કરી ધરપકડ

  • એક મૌલવી હજુ પોલીસ પકડથી દૂર

Advertisment W3.CSS

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલી મદ્રેસામાંથી મોડી રાત્રે આઠ બાળકો ભાગી છુટ્યા હતા.અને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી પોલીસને મળી આવ્યા હતા.મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતોઅને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા.જોકે પોલીસે ત્રણ મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરી જેમાં બે મૌલવીની અટકાયત પણ કરવામા આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ખાતેથી આઠ બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા.અને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા.હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી,તે દરમિયાન અસારવા ઉદેપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાહટ ભરેલી સ્થિતિમાં આઠ બાળકો મળી આવ્યા હતા.

બાળકોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું.  ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમીટ કરવામાં આવ્યો હતો.જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.બાળકો પર ગુસ્સો કરી સોટી,કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મરાતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકે ત્રણ મૌલવીઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે બાળકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.જોકે મેડિકલ રિપોર્ટમાં અજુગતું જણાશે તો પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ પોલીસ જણાવી રહી છે.હાલમાં પોલીસે બે મૌલવીની ધરપકડ કરી છે,જયારે નાય એક હજી ફરાર છે.

Read the Next Article

અંકલેશ્વર : ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ,27 પંચાયતીરાજની યોજાશે ચૂંટણી

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

New Update
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ

  • મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા

  • તાલુકા પંચાયતમાં પણ નોંધાઈ ઉમેદવારી

  • 27 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી

  • ઉમેદવારોએ  જીતનો કર્યો છે દાવો

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે.આ ચૂંટણીમાં 29865 પુરુષ અને 28535 મહિલા મતદારો મળીને કુલ 58400 મતદારો નોંધાયા છે,અને ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી,અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસમડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા.જેમાં કોસમડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા,તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટાચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવીંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો.