/connect-gujarat/media/media_files/2025/06/13/NFAeogIkAiDIIcGipfpA.png)
અમદાવાદમાં AI-171 ફ્લાઇટ ક્રેશની દુર્ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. આ ક્રેશમાં ભારતીયો સાથે વિદેશી નાગરિકોના પણ મોત થયા તો લંડન જઈ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે.
ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયા A-171 વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થઈ ગયું છે. એર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર રૂપાણી બીજા નેતા છે. આ પહેલા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મેહતાનું પણ કચ્છમાં નિધન થયું હતું. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા.1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમનું બીચક્રાફ્ટ કોમ્પ્યુટર એરક્રાફ્ટને પાકિસ્તાનના ફાઇટર પ્લેને તોડી પાડ્યું હતું.આ ઘટનામાં બળવંતરાયના પત્ની, ત્રણ પાર્ટી કાર્યકર્તા અને એક પત્રકારનું મોત થયું હતું. વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થતાં દાયકાઓ પહેલા બનેલી ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. બળવંતરાય મેહતાનું નિધન 65 વર્ષની ઉંમરે થયું હતું.
આ ઘટના 19 સપ્ટેમ્બર 1965 ના રોજ બની હતી, જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા મીઠાપુરથી સરહદી વિસ્તારમાં કચ્છ જઈ રહ્યા હતા. તેમની પત્ની સરોજબેન, ત્રણ પક્ષના સાથીઓ અને એક સ્થાનિક અખબારના પત્રકાર પણ બીચક્રાફ્ટ કોમ્પ્યુટર વિમાનમાં તેમની સાથે હતા. વિમાનને વાયુસેનાના ભૂતપૂર્વ પાઇલટ જહાંગીર એન્જિનિયર ઉડાડી રહ્યા હતા. તેમના સિવાય, ક્રૂ મેમ્બરનો એક વધુ સભ્ય હતો. અચાનક પાકિસ્તાન વાયુસેનાના બે ફાઇટર વિમાનોએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું. બંને પાકિસ્તાની ફાઈટર જેટ મૌરીપુર વાયુસેનાથી ઉડાન ભરી હતી.