ઉના : ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો

શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.

New Update

ઉના ખાતે આહીર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો 

શરદપૂનમના પાવન અવસર નિમિત્તે કરાયું આયોજન 

ગીર ગઢડા કર્મચારી મંડળનો યોજાયો કાર્યક્રમ 

પરંપરાગત વસ્ત્રોમાં રાસ રમતા મંડળના સભ્યો

વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યુ

ઉના ખાતે ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનો સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું. આ રસોત્સવમાં આહીર સમાજના ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકાના તમામ કર્મચારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો જેમાં સૌ પ્રથમ એક મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું  હતું.ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.બાદમાં બાળકોનો રાસ, બહેનોનો રાસ તેમજ ભાઈઓનો રાસ યોજવામાં આવ્યો હતો.જેમાં તમામ ભાઈ બહેનો આહીર ટ્રેડિશનલ પહેરવેશ પહેરી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.ત્યાર બાદ દરિયાકાંઠા વિસ્તારના આહિર સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે માર્ગદર્શન અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટેની ચર્ચા પણ આ સ્નેહમિલનમાં કરવામાં આવી હતી. તેમજ નવા કારોબારી સભ્યોની રચના આ સ્નેહમિલનમાં કરવામાં આવી હતી. ઉના તાલુકાના આહીર સમાજના સક્રિય આગેવાનો અને ઉત્સાહી યુવાનોએ સાથે મળી કર્મચારીઓના આ આયોજનને દીપાવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.