કમોસમી “માવઠું” : રાજ્યભરમાં સતત બીજા દિવસે પણ વરસાદ, ખેતી-પાકોને મોટું નુકસાન...

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.

New Update
  • હવામાન વિભાગ દ્વારા કરાય હતી માવઠાની આગાહી

  • સમગ્ર રાજ્યમાં સતત 2 દિવસથી વરસતો વરસાદ

  • ભારે પવન સાથે વરસ્યો હતો કમોસમી વરસાદ

  • રાજ્યમાં કેરી સહિતના પાકોને થયું મોટું નુકશાન

  • ખેતી-પાકોને નુકશાન પહોંચતા ખેડૂતો માથે આફત

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતમાં સાઇકલોનિક એર સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
તો બીજી તરફ, મોટા મોટા હોર્ડિંગ્સ તેમજ ચાલી રહેલી લગ્નસરાની સીઝનમાં કેટલાક મંડપો પણ ઉડ્યા હતા. જેના કારણે લોકોને લાખોનું નુકશાન થવા પામ્યું છે. આ તરફ, કમોસમી માવઠું આવતા ખેતી-પાકોને પણ મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ભારે પવન સાથે વરસેલા માવઠાના કારણે સમગ્ર રાજ્યમાં કેરી સહિતના વિવિધ પાકોમાં નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોને માથે વધુ એક સંકટ ઉભું થયું છે.
Advertisment W3.CSS
Read the Next Article

અંકલેશ્વર : ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ,27 પંચાયતીરાજની યોજાશે ચૂંટણી

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

New Update
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ

  • મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા

  • તાલુકા પંચાયતમાં પણ નોંધાઈ ઉમેદવારી

  • 27 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી

  • ઉમેદવારોએ  જીતનો કર્યો છે દાવો

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે.આ ચૂંટણીમાં 29865 પુરુષ અને 28535 મહિલા મતદારો મળીને કુલ 58400 મતદારો નોંધાયા છે,અને ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી,અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસમડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા.જેમાં કોસમડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા,તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટાચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવીંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો.