વલસાડ: સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ થઇ સક્રિય,જય બાપુ,જય ભીમ,જય સંવિધાન અભિયાનની કરી શરૂઆત

સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે.

New Update
  • સંઘપ્રદેશમાં કોંગ્રેસ થઇ સક્રિય

  • જય બાપુ,જય ભીમ,જય સંવિધાનની કરી શરૂઆત

  • કોંગ્રેસ દ્વારા મહિલા માટે કરવામાં આવશે કાર્યક્રમ

  • દેશના દરેક ખૂણે કોંગ્રેસ કાર્યકર્તાઓ કરશે પ્રચાર

  • ડો.બાબાસાહેબના અપમાનના વિરોધમાં પણ કરશે પ્રચાર

સંઘપ્રદેશ દમન દીવમાં કોંગ્રેસ પુનઃ સક્રિય થઇ છે,અને પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,તેમજ જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે.

સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું  ભાજપે અપમાન કર્યું હોવાનો મુદ્દો બનાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.જેના ભાગરૂપે હવે કોંગ્રેસ સંઘપ્રદેશમાં પણ આ અભિયાન શરૂ કરી છે. આવનાર છ મહિના બાદ દમણ દીવમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે.જેને ધ્યાને રાખી કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે.

દમણ દીવ  પ્રદેશ કોંગ્રેસની એક બેઠક મળી હતી.જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી  માણેકરાવ ઠાકરે અને દમણ દીવ  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ સહિત પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતને નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે તે અંગે પણ રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. આમ લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત કોંગ્રેસ પ્રદેશમાં સક્રિય થઈ રહી હોવાથી પ્રદેશનું રાજકારણ ફરી ગરમાયું છે.

Read the Next Article

જૂનાગઢ પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની દુભાઈ ધાર્મિક લાગણી

ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે..

New Update
  • પવિત્ર દામોદર કુંડની ખદબદતી હાલત

  • કુંડમાં ભળી રહ્યા છે ગટરના ગંદા પાણી

  • પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ

  • મનપાનું તંત્ર કુંડની પવિત્રતા જાળવી ન શક્યું

  • શ્રદ્ધાળુઓની કુંડની દુર્દશાથી ધાર્મિક લાગણી દુભાઈ

જુનાગઢનું પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે,અને તંત્ર દ્વારા કરોડો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કુંડની પવિત્રતા જાળવી શક્યા ન હોવાનું શ્રદ્ધાળુઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે.

ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગણાતા જૂનાગઢમાં ભવનાથ તળેટી રસ્તે પવિત્ર અને અતિ પ્રાચીન દામોદર કુંડ છે,જ્યાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃ તર્પણ કરવા આવે  છેપરંતુ હાલ દામોદર કુંડની દુર્દશા થઈ છેગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથીઅને ભાવિકોએ સરકારને વિનંતી સાથે જણાવ્યું કે કુંડની પવિત્રતા જળવાય તેવી કામગીરી કરવા માટે માંગ કરવામાં આવી છે.

આ પવિત્ર દામોદર કુંડની સફાઈ કરવા અગાઉ તંત્ર દ્વારા 8 કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી,પણ તંત્રના પાપે પવિત્ર કુંડ દૂષિત બન્યો છેઆજરોજ કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરને આમંત્રણ આપી આ પવિત્ર કુંડના પાણીનું ચરણામૃત લેવા પધારવા જણાવ્યું હતું પણ એક પણ પદાધિકારી કે અધિકારી ફરકયા જ નહોતા8 કરોડ જેટલી રકમ કુંડના શુદ્ધિકરણ માટે ફાળવી છતાં પણ પવિત્ર દામોદર કુંડ ગંદકીથી ખદબદી રહ્યો હોવાનું રોષપૂર્વક તેઓએ જણાવ્યું હતું.