વલસાડ : ત્રણ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરતા જિલ્લા  કલેકટર, પોલીસ તંત્ર પણ બન્યું સતર્ક

વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે,ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને પાર પાડવા માટે ચૂંટણી અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી

New Update
  • ત્રણ નગરપાલિકની યોજાશે ચૂંટણી

  • ચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં ઉત્તેજના વ્યાપી

  • જિલ્લા વહીવટી તંત્રે ચૂંટણીની તૈયારી કરી પૂર્ણ

  • જિલ્લા કલેકટર દ્વારા યોજાઈ સમીક્ષા બેઠક

  • પોલીસ તંત્ર દ્વારા પણ ખડકાયો બંદોબસ્ત  

Advertisment

વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે,ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને પાર પાડવા માટે ચૂંટણી અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી,જ્યારે પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લાની પારડી,ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ  અધિકારીઓની સાથે એક બેઠક યોજી હતી.અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

વલસાડ નગરપાલિકાના કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી 37 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.શહેરના 98,467 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.અને ચૂંટણીમાં 440 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે.જ્યારે પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.આથી બાકી બચેલી 27 બેઠકો પર કુલ 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.શહેરના 24,149 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.અને  ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી તમામ 24 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.જેમાં કુલ 49 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 20,654 મતદારો ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે.ત્યારે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment