વલસાડ : વાપી કોલેજના ચાર વિદ્યાર્થીઓ કોલક નદીમાં ડૂબતા કરુણ મોતને ભેટ્યા,રિક્ષા ચાલક સારવાર હેઠળ

બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાંથી 4 વિધ્યાર્થી મોતને ભેટયા

New Update
  • કોલેજના વિદ્યાર્થીઓની મજા માતમમાં ફેરવાઇ

  • વાપી કોલેજના વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા માટે ગયા હતા 

  • કોલક નદીમાં પાંડવ કુંડમાં ન્હાવા જતા સર્જાઈ કરુણાંતિકા

  • ચાર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી જતા કરુણ મોતને ભેટ્યા

  • રિક્ષા ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો

વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડ્યા બાદ ડૂબવા લાગ્યા હતા. તેમને રિક્ષા ચાલક સહિત ત્રણ બચાવવા નદીમાં પડતા જોતજોતામાં પાંચેય નદીમાં ગરક થઈ ગયા હતા.લોકો દોડી ગયા બાદ પાંચેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જતા ચારને મૃત જાહેર કર્યા હતા.જ્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો હતો.

વાપીની કે.બી.એસ.કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા સાત યુવાનો મંગળવારે વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં આવેલ પાંડવ કુંડ ખાતે બે ઓટો રિક્ષામાં ફરવા ગયા હતા.તે દરમિયાન તમામ યુવાનો કોલક નદી કિનારે પહોંચ્યા હતા.

જ્યાં બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. અન્ય યુવાનોએ ભારે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા.

ઘટનાને પગલે પોલીસસરપંચ પણ પહોંચી ગયા બાદ લોકોએ પાંચ યુવાનો ધનંજય લીલાઘર ભોંગળેઆલોક પ્રદિપ શાહેઅનિકેલ સંજીવસીંગલક્ષ્મણપુરી અશોકપુરી ગોસ્વામી અને રિક્ષા ચાલક દેવરાજ કેશવ વાનખેડેને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

અને તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા,જ્યાં ચાર વિદ્યાર્થીઓ ધનંજય ભોંગળેઆલોક શાહેઅનિકેલ સિંગ અને લક્ષ્મણપુરી ગૌસ્વામીને મૃત જાહેર કરાયા હતા. જ્યારે રિક્ષા ચાલક દેવરાજ વાનખેડેનો બચાવ થયો હતો.

કપરાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.વાપીની કે.બી.એસ.કોલેજમાં અભ્યાસ કરતા ચારેય વિદ્યાર્થીઓના મોતને પગલે પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. કોલેજના વિદ્યાર્થીઓને પણ જાણ થતા શોકની કાલીમા પ્રસરી ગઇ હતી.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.