વલસાડ : વાપી કોલેજના ચાર વિદ્યાર્થીઓ કોલક નદીમાં ડૂબતા કરુણ મોતને ભેટ્યા,રિક્ષા ચાલક સારવાર હેઠળ

બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાંથી 4 વિધ્યાર્થી મોતને ભેટયા

New Update
  • કોલેજના વિદ્યાર્થીઓની મજા માતમમાં ફેરવાઇ

  • વાપી કોલેજના વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા માટે ગયા હતા 

  • કોલક નદીમાં પાંડવ કુંડમાં ન્હાવા જતા સર્જાઈ કરુણાંતિકા

  • ચાર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી જતા કરુણ મોતને ભેટ્યા

  • રિક્ષા ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો 

Advertisment

વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડ્યા બાદ ડૂબવા લાગ્યા હતા. તેમને રિક્ષા ચાલક સહિત ત્રણ બચાવવા નદીમાં પડતા જોતજોતામાં પાંચેય નદીમાં ગરક થઈ ગયા હતા.લોકો દોડી ગયા બાદ પાંચેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જતા ચારને મૃત જાહેર કર્યા હતા.જ્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો હતો.

વાપીની કે.બી.એસ.કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા સાત યુવાનો મંગળવારે વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં આવેલ પાંડવ કુંડ ખાતે બે ઓટો રિક્ષામાં ફરવા ગયા હતા.તે દરમિયાન તમામ યુવાનો કોલક નદી કિનારે પહોંચ્યા હતા.

જ્યાં બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. અન્ય યુવાનોએ ભારે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા.

ઘટનાને પગલે પોલીસસરપંચ પણ પહોંચી ગયા બાદ લોકોએ પાંચ યુવાનો ધનંજય લીલાઘર ભોંગળેઆલોક પ્રદિપ શાહેઅનિકેલ સંજીવસીંગલક્ષ્મણપુરી અશોકપુરી ગોસ્વામી અને રિક્ષા ચાલક દેવરાજ કેશવ વાનખેડેને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

અને તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા,જ્યાં ચાર વિદ્યાર્થીઓ ધનંજય ભોંગળેઆલોક શાહેઅનિકેલ સિંગ અને લક્ષ્મણપુરી ગૌસ્વામીને મૃત જાહેર કરાયા હતા. જ્યારે રિક્ષા ચાલક દેવરાજ વાનખેડેનો બચાવ થયો હતો.

કપરાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.વાપીની કે.બી.એસ.કોલેજમાં અભ્યાસ કરતા ચારેય વિદ્યાર્થીઓના મોતને પગલે પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. કોલેજના વિદ્યાર્થીઓને પણ જાણ થતા શોકની કાલીમા પ્રસરી ગઇ હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરાય, રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરાયો !

ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય

New Update
IMG-20250521-WA0029
ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય જે આધારે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેઓના ઘરે વિજ કનેકશન બાબતે તપાસ કરવા માટે DGVCLના અધિકારીઓની ટીમ સાથે રાખી વાલીયા પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વો જેમા ભાવેશભાઇ ભગુભાઇ વસાવા રહે ભરાડીયા તા. વાલીયા જી.ભરૂચ, વિક્કી ઉર્ફે વિકાશ ઉર્ફે વિકેશભાઇ રવિદાસભાઇ વસાવા રહે.ભમાડીયા તા-વાલીયા જી-ભરૂચ, સુનીલ ઉર્ફે સુખી ઉર્ફે ગટી મનહરભાઇ વસાવા રહે.ભમાડીયા તા.વાલીયા જી.ભરૂચ, લાલુભાઇ ઉર્ફે માયા ડોન અંબુભાઇ વસાવા રહે. ચમારીયા ગામ તા.વાલીયા જી.ભરૂચ, સતનામ ઉર્ફે ધર્મેશભાઇ નારસિંગભાઇ વસાવા રહે. વાલીયા હનુમાન ફળીયુતા. વાલીયાના ઘરે પોલીસ ટીમ સાથે DGVCL ના અધિકારીઓએ વિજ કનેકશન બાબતે ચેકીંગ કરતા તેઓના મકાનમાં વીજ અંગેની ગેરરીતિ બહાર આવી હતી.આથી પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેઓ પાસે રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
Advertisment