વલસાડ : સાઉદી અરેબિયાથી લગ્નપ્રસંગમાં ઉમરગામ આવેલા બાળકનું અપહરણ, કૌટુંબિક મામા સહિત 2 શખ્સોની ધરપકડ

જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

New Update
  • ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તાર ચકચારી ઘટના

  • સાઉદી અરેબિયાથી લગ્નપ્રસંગમાં આવેલ બાળક ગુમ

  • વાપી નજીકથી બાળક અર્ધ બેભાન અવસ્થામાં મળ્યું

  • અપહરણની આશંકાએ પોલીસે હાથ ધરી હતી તપાસ

  • પોલીસે કૌટુંબિક મામા સહિત 2 શખ્સોની ધરપકડ કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તારમાં એક બાળકના અપરણના મામલે મોટો ખુલાસો થયો છે. સાઉદી અરેબિયાથી વલસાડ આવેલા બાળકનું અપહરણ કરનાર મામા અને તેના 2 સાગરીત વલસાડ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડમાં ગત તા. 23મી ડિસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાના ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માણવા આવેલું એક બાળક ગુમ થયું હતું. જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસની 8થી વધુ ટીમો સર્ચ ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દમણ ગંગા નદી કિનારે શોધખોળ હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશનમાં  ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી. આખરે 36 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બાળક એક ઝાડીમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું.

જેથી પોલીસે અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકેબાળકની તબિયત જોતા તાત્કાલિક સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. માતા-પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતુંઅને લગ્નના જમણવાર દરમિયાન સગા સબંધીઓની હાજરીમાં જ તેનું અપહરણ થવાને કારણે અનેક રહસ્યો સર્જાયા છે.

આથી આરોપી સુધી પહોંચવા વલસાડ પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાઅને લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા-સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી. આસપાસના 70થી વધુ મકાનોમાં તપાસ કરતા અંતે આ મામલામાં પોલીસને સફળતા મળી છે. જેમાં અપહરણનો માસ્ટરમાઈન્ડ શાહબાઝ ખાન ઉર્ફે સોનું ફારુક ખાનની ઉત્તર પ્રદેશના આગ્રા-મથુરા નજીકથી ધરપકડ કરવામાં આવી છેજ્યારે મુંબઈના ઉમર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના 2 શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા અપરણના ષડયંત્રનો સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો હતો. જેમાં આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનું ફારુક ખાન ભોગ બનેલા બાળકનો કૌટુંબિક મામો હતોઅને આ મામા એ જ સાઉદી અરેબિયાથી લગ્ન માણવા આવેલા આ બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માગવાના ઇરાદે તેના મુંબઈના 2 સાગરીતો સાથે મળીને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

જોકેઅપહરણ કર્યા બાદ ગળું દબાવતા બાળક બેહોશ થઈ ગયું હતું. આથી બાળકને મૃત માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અવાવરુ જગ્યાએ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આમ કૌટુંબીક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

Read the Next Article

ભરૂચ : વાલિયાના ડેહલી ગામે 20 હજાર વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ, વનમંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

New Update

વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે કરાયું આયોજન

"એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત કાર્યક્રમ

વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ

વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું

મોટી સંખ્યામાં મહાનુભાવો-વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાનાવાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગતરાજ્યનાવનઅનેપર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાંમિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજયકક્ષાવનપર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જજળ સંપતી અને પાણી પુરવઠાગુજરાત રાજય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. 2 હેક્ટર જમીનમાં 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વતા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીએ જણાવ્યું હતું કે,  ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માતા સાથોનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહવાન કર્યુ હતું.PM મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેષી અભિગમને જનઆંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ગતવર્ષ "એક પેડ માં કે નામ" અભિયાન અંર્તગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાસમાજીક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમારવન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈચ્યર, SRPF-CRPF કેમ્પના જવાનો, NCC કેડેડપોલીસ જવાનોસખી મંડળો સહિત માતાબહેનોશાળાના વિદ્યાર્થીઓવનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.