વલસાડ : નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટના કન્સ્ટ્રક્શન માટે દબાણ હટાવવામાં આવતા વેપારીઓમાં આક્રોશ

વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

New Update
  • નગરપાલિકા દ્વારા કાર્યવાહી

  • શાકભાજી માર્કેટમાં દબાણો હટાવ્યા

  • વેપારીઓમાં જોવા મળી નારાજગી

  • શાકભાજી માર્કેટનું શરૂ કરાશે કન્સ્ટ્રક્શન

  • માર્કેટ માટે યોગ્ય જગ્યા ફાળવવા વેપારીઓની માંગ 

Advertisment

વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ કામગીરીમાં અડચણ રૂપ શાકભાજીના વેપારીઓને પાલિકા તંત્ર દ્વારા અન્યત્ર ખસી જવા માટે જણાવવામાં આવ્યું હતું,પરંતુ વેપારીઓ દ્વારા અન્ય જગ્યાની માંગ કરતા પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે પેચ ફસાયો હતો,જોકે આખરે નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટના દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ગિનૈયા સહિત દબાણ શાખાની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહીને દબાણ હટાવવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન શાકભાજીના વેપારીઓમાં પાલિકાની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી.

Read the Next Article

ભાવનગર : પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવારને કરાવ્યો મુક્ત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.

New Update
  • પાલીતાણા પોલીસનો દેવદૂત અવતાર

  • વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવાર મુક્ત

  • 3.50 લાખના ઘરેણાં અપાવ્યા પરત

  • રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,

  • પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલ્યો

Advertisment

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.માત્ર 25 દિવસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે પરિવારના 3.50 લાખના ઘરેણાં પરત અપાવ્યા હતા,અને વ્યાજખોરને જેલમાં ધકેલી દીધો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં રહેતા મગનભાઈજે હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છેતેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમા કાળુભાઈ વાળાની પાસેથી 3 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી.દબાણ હેઠળ મગનભાઈએ પત્નીના 3.50 લાખના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા.છતાં પણ વ્યાજખોરે વધુ 1.50 લાખની માંગણી કરી હતી.

આર્થિક અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા પરિવારે આખરે પોલીસનો સહારો લીધો હતો. પાલીતાણા રૂરલ પોલીસની ટીમે માત્ર 25 દિવસમાં કાર્યવાહી કરીને ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ કામગીરીએ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ ફેલાવ્યું છે.