વલસાડ : નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટના કન્સ્ટ્રક્શન માટે દબાણ હટાવવામાં આવતા વેપારીઓમાં આક્રોશ

વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

New Update
  • નગરપાલિકા દ્વારા કાર્યવાહી

  • શાકભાજી માર્કેટમાં દબાણો હટાવ્યા

  • વેપારીઓમાં જોવા મળી નારાજગી

  • શાકભાજી માર્કેટનું શરૂ કરાશે કન્સ્ટ્રક્શન

  • માર્કેટ માટે યોગ્ય જગ્યા ફાળવવા વેપારીઓની માંગ 

વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ કામગીરીમાં અડચણ રૂપ શાકભાજીના વેપારીઓને પાલિકા તંત્ર દ્વારા અન્યત્ર ખસી જવા માટે જણાવવામાં આવ્યું હતું ,પરંતુ વેપારીઓ દ્વારા અન્ય જગ્યાની માંગ કરતા પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે પેચ ફસાયો હતો,જોકે આખરે નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટના દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ગિનૈયા સહિત દબાણ શાખાની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહીને દબાણ હટાવવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન શાકભાજીના વેપારીઓમાં પાલિકાની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી.

 

Read the Next Article

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે.

New Update
1749726703_new-project-8

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે. તો સાંજે 4થી 5 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ  સોમવાર, 16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન શોકના પ્રતિક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

  • સવારે11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.