વલસાડ - નવસારીમાં નવરોઝની ઉજવણી પ્રસંગે અગિયારીમાં પારસી સમાજે કરી પ્રાર્થના, 1395માં  વર્ષના પ્રારંભની સૌને પાઠવી શુભેચ્છા

ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કરીને પ્રાર્થના સાથે કરી હતી.

New Update
  • પારસી બંધુઓ દ્વારા પતેતી પર્વની ઉજવણી

  • વલસાડ-નવસારીમાં પારસીઓએ કરી ઉજવણી

  • અગિયારીમાં પારસી સમાજે કરી પ્રાર્થના

  • પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ કર્યા અર્પણ

  • 1395માં વર્ષના પ્રારંભની સૌને પાઠવી શુભેચ્છા  

ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કરીને પ્રાર્થના સાથે કરી હતી. વલસાડ તેમજ નવસારીમાં પારસી સમાજે 1395માં નવા વર્ષે સૌને શુભેચ્છા પાઠવી હતી.

પારસીઓના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આતસ બહેરામની પૂજા અર્ચના કરી હતી,ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારતમાં આશરો મળ્યો હતો.ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ  ખુશીઓનો દિવસ છે,ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના જાદિ રાણાને આપેલા વચન પ્રમાણે  આજે પણ પારસીઓ ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છેપારસીઓના કેલેન્ડર મુજબ 1395માં નવા વર્ષની શરુઆત થઇ છે .પારસીઓનું કાશી એવા સૌથી મોટા ધર્મસ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસી માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છેઆજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓએ ઇષ્ટ દેવ આતસ બહેરામની પૂજા અર્ચના કરે છે.

તો બીજી તરફ નવસારીમાં ઐતિહાસિક અગિયારીમાં આજે પારસીઓ પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરીપ્રાર્થના કરી હતી. આજે નવરોઝના દિને પારસીઓએ મોટી સંખ્યામાં અગિયારી બહારથી સુખડના લાકડાના ટૂકડા લઈ પવિત્ર અગ્નિને અર્પણ કર્યા હતા.હજારો વર્ષોની પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ 10 દિવસ મુક્તાદના એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો બાદ પારસીઓ પ્રાયશ્ચિત માટે પતેતી ઉજવે છે. અને આજે 1,395ની પારસીઓએ નવરોઝની ઉજવણી કરી છે. જેમાં નવસારી શહેરના તરોટા બજાર સ્થિત 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આવી પાક આતસ બહેરામને પુષ્પસુખડના લાકડાના ટુકડા અર્પણ કરી અને લોબાનની આહૂતિ આપી અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી.

Latest Stories