વલસાડ : ઉમરગામમાં દર કલાકે એક ઇંચ વરસાદ, 12 ઇંચ વરસાદથી પાણી જ પાણી

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વીતેલા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે.

New Update
વલસાડ : ઉમરગામમાં દર કલાકે એક ઇંચ વરસાદ, 12 ઇંચ વરસાદથી પાણી જ પાણી

વલસાડ જિલ્લામાં જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વીતેલા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે. ઉમરગામમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો હતો જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વાપીમાં 6 ઈંચ, પારડીમાં 2 ઈંચ, કપરાડામાં 3 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉમરગામના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં 366 જેટલા લોકોને સલામત સ્થળોએ સ્થળાંતરિત કરાયાં છે. ભારે વરસાદ અને પવનના કારણે દરિયો તોફાની બન્યો છે. કલેકટર ક્ષિપ્રા અગ્રેએ પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.
Latest Stories