વલસાડ:કારમાં CNGના સિલિન્ડરમાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂ સાથે પોલીસે પાંચ શખ્સોની કરી ધરપકડ

વલસાડથી વિદેશી દારૂના વહનની એક નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે,કારમાં CNG સિલિન્ડરમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જતાં પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

New Update
  • સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી ઝડપાયો વિદેશી દારૂ

  • CNG સિલિન્ડરમાંથી ઝડપાયો દારૂ

  • દારૂ દમણથી સુરત તરફ લઇ જવામાં આવી રહ્યો હતો

  • પોલીસે રૂ.7,800નો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત

  • 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ

વલસાડથી વિદેશી દારૂના વહનની એક નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે,કારમાંCNG સિલિન્ડરમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જતાં પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

31 ડિસેમ્બરની ઉજવણીમાં મોટા પાયે દારૂનું સેવન કરીને ઉજાણી કરવાની ફેશન બની ગઈ છેત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ બદીને ડામવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છેજોકે તેમ છતાં કેટલાક શાતીર બુટલેગરો પોલીસને ચકમો આપીને વિદેશીદારૂનું વહન કરવા માટેની તરકીબો અજમાવતા હોય છેપરંતુ પોલીસની બાજ નજરથી તેઓએ બચી શકતા નથી.

ત્યારે આવીજ એક ઘટના વલસાડથી પ્રકાશમાં આવી છે.વલસાડ રૂરલ પોલીસે સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી ઈક્કો કાર ઝડપી પાડી હતી,અને કારમાં તલાશી લેતા પોલીસને પ્રથમ દ્રષ્ટિએ કઈં જ નજરે પડ્યું નહોતું,પરંતુ પોલીસને સઘન તપાસ દરમિયાન કારનાCNG સિલિન્ડર પર શંકા ગઈ હતી.અને સિલિન્ડર કાપીને તેમાં વિદેશી દારૂ છુપાવી બુટલેગર દ્વારા દારૂનું વહન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.CNGના સિલિન્ડરમાં વિદેશી દારૂ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી,પોલીસે રૂપિયા 7,800નો વિદેશી દારૂના જથ્થા સાથે  5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સુરત લઇ જવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.

Read the Next Article

ભાવનગર : પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર,આદપુરમાં વરસાદી પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા ગ્રામજનોને હાલાકી

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

New Update
  • પાલીતાણામાં વરસ્યો મુશળધાર વરસાદ

  • ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

  • આદપુરમાં રસ્તા પર દોઢ ફૂટ પાણી ભરાયા

  • રસ્તો ગુમ થતા તંત્ર સામે ગ્રામજનોનો રોષ"

  • કોઝવેની વારંવારની રજૂઆત પણ પરિણામ શૂન્ય

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું.કાલ સાંજથી રાત સુધી પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ડુંગરિયાઓ માંથી વહેતા પાણી રસ્તા પર દોઢ ફૂટ સુધી ભરાઈ ગયા છે.જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ લગાવી રહ્યા છે. 

આદપુરના લોકો વર્ષોથી કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છેછતાં તંત્ર આજદિન સુધી તેઓની રજૂઆતને કાને નથી ધરી રહ્યું,અને હવે ફરી એકવાર વરસાદી પાણીના ભરાવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનો રોષે ભરાયેલા છે અને તંત્રની જવાબદારીના કામ સામે આક્રોશિત છે.