વલસાડ : દમણમાં વશીકરણ કરીને દાગીના પડાવતી મદારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ,ત્રણ આરોપીઓની કરી ધરપકડ

દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી.

New Update
  • દમણમાં હિપ્નોટાઈઝ કરતી મદારી ગેંગનો આતંક

  • પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ

  • દમણ પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

  • મુખ્ય માસ્ટર માઈન્ડ ગાઝિયાબાદથી ઝડપાયા

  • પોલીસે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ  કબજે કર્યો

દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી.આ ગેંગના બે સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે.આ  મદારી ગેંગે અત્યાર સુધી 200 થી વધુ ગુનાઓને અંજા આપ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

સંઘ પ્રદેશ દમણ અને  દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક સમયથી એકલદોકલ વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમના પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પડાવી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા.દમણના કચીગામસોમનાથ ડાભેલ વિસ્તાર અને આંટિયાવાડ વિસ્તારમાં ત્રણ દિવસમાં ત્રણ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમનું વશીકરણ કરી અને સોના ચાંદીના દાગીના પડાવી અને અજાણ્યા બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી હતી.

દમણ પોલીસે વશીકરણ કરી ઠગાઈ આચરતા આ ગેંગને ઝડપવા દમણ અને વાપીના રસ્તાના 250 થી વધુCCTV ફૂટેજ તપાસ્યા  હતા.સાથે જ આસપાસના વિસ્તારના 80 થી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરી હતી. આખરે પોલીસને મળેલા કેટલાક સબૂતને આધારે પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી મૂળ ફરીદાબાદના બે આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં ઈરફાન શાકિર અહેમદ અને સિકલ ઉર્ફે શેરખાન સાથે તેમને મદદ કરનાર  દમણથી એક રિક્ષા ચાલક રાધે કુમાર યાદવને પણ દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

દમણ પોલીસની તપાસમાં દમણમાં આચરેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આરોપીઓએ કચીગામડાભેલ સોમનાથ અને આંટિયાવાડમાં મહિલાઓને હિપ્નોટાઈઝ કરી તેમના દાગીના પડાવી  લીધા હોવાની દાખલ થયેલી ફરિયાદના ભેદ ઉકેલ્યા છે,અને આરોપીઓ પાસેથી સોનાના 28 ગ્રામના દાગીનારિક્ષારોકડ રકમ અને મોબાઈલ મળી  અંદાજે 3.10 લાખ રૂપિયા થી વધુનો મુદ્દામાલ  કબજે કર્યા છે. આરોપીઓએ અત્યાર સુધી 200 થી વધુ ગુનાઓ આચર્યા હોવાનું પોલીસ સમક્ષ કબુલ કર્યું છે. આથી દમણ પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ આરોપીઓના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ તેજ કરી છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે