વલસાડ : પોલીસે યુપીની અપહ્યત સગીર યુવતીને મુક્ત કરાવી,બે આરોપીની કરી ધરપકડ

વલસાડ જિલ્લા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસે ઉત્તર પ્રદેશની એક અપહ્યત સગીર યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી,

New Update
  • મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસની કાર્યવાહી

  • પ્રોપર્ટી ઓફેન્ડરની કરી ધરપકડ

  • 2 આરોપીની ધરપકડ સાથે અપહ્યત બાળાને કરાવી મુક્ત

  • યુપીથી લગ્નની લાલચે બાળાનું કર્યું હતું અપહરણ

  • સીટી પોલીસે વધુ તપાસ શરૂ કરી

Advertisment

વલસાડ જિલ્લા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસે ઉત્તર પ્રદેશની એક અપહ્યત સગીર યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી,અને બે આરોપીની ધરપકડ કરી હતી.

વલસાડ સીટી પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ગુનાના આરોપીઓ પૈકીના પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભરને શોધી કાઢવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા હતા.જેમાં ઓફેન્ડર આરોપી રાજા રાજભર રહે મોરાવાડી હીરા ફેક્ટરી પાસે ઋષિકેશ એપાર્ટમેન્ટનો હોવાનું જાણવા મળ્યું હતું,અને  રાજા તેની સાથે રવિકુમાર ખ્વાજા પોલીસને મળી આવ્યા હતા,પોલીસ તપાસમાં આરોપીઓ સાથે એક સગીર બાળા પણ મળી આવી હતી.અને પોલીસ તપાસમાં આ સગીર બાળાનું લગ્નની લાલચે યુપીથી અપહરણ કરીને લાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને ઓફેન્ડર આરોપીની ધરપકડ કરીને સીટી પોલીસે કિશોરીને મુક્ત કરાવી યુપી પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: GMDCના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ, BTS દ્વારા વિશાળ રેલી નિકળી

ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

New Update
  • ભરૂચના વાલિયામાં વિરોધ પ્રદર્શન

  • GMDCના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ

  • ભીલિસતાન ટાઇગર સેના દ્વારા વિરોધ નોંધાવાયો

  • વિશાળ રેલીનું કરાયુ આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

Advertisment
ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
ભરૂચના વાલીયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસને દિવસે ઘેરો બનતો જઈ રહ્યો છે અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો ત્યારે આજરોજ ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલીયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી.
જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભીલિસતાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા કોકીલાબહેન તડવી, વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો. લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે
Advertisment