વલસાડ : શાક માર્કેટ માટે શહેરના મધ્યમાં જગ્યા ફાળવવા માટે વેપારીઓની માંગ,પોલીસે અટકાવી રેલી

રેલી યોજાઈ ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી.જેના કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી,અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
  • શાક માર્કેટ માટે જગ્યા ફાળવણીનો મુદ્દો

  • વેપારીઓ દ્વારા રેલીનું કરાયું હતું આયોજન

  • કલેકટર કચેરી સુધી યોજાવાની હતી રેલી

  • શહેરના મધ્યમાં માર્કેટ માટે જગ્યાની કરી રહ્યા છે માંગ

  • રેલી યોજાય ત્યાર પહેલા જ પોલીસે વેપારીઓને અટકાવ્યા 

વલસાડમાં શાકભાજી માર્કેટ માટે જગ્યા ફાળવણી મુદ્દે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે,અને વેપારીઓ દ્વારા પોતાની માંગ મુદ્દે જિલ્લા કલેકટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,પરંતુ રેલી યોજાય ત્યાર પહેલા જ પોલીસે રેલી અટકાવી દીધી હતી.

વલસાડમાં થોડા સમય અગાઉ શાકમાર્કેટ હટાવવા મુદ્દે વેપારીઓ અને તંત્ર વચ્ચે ચકમક સર્જાઈ હતી.જોકે ત્યાર બાદ જિલ્લા કલેકટર દ્વારા શાકમાર્કેટ માટે અન્યત્ર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે શાકભાજીના વેપારીઓએ જિલ્લા કલેકટરનો આ પ્રસ્તાવ અસ્વીકાર કરીને શાક માર્કેટ માટે શહેરના મધ્યમાં જગ્યા ફાળવવા માટે માંગ કરી રહ્યા છે, ત્યારે શાકભાજીના વેપારીઓએ એકત્ર થઈને જિલ્લા કલેકટર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે રેલી યોજાઈ ત્યાર પહેલા પોલીસ સ્થળ પર પહોંચીને આ રેલીને અટકાવી દીધી હતી.જેના કારણે શાકભાજીના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી,અને વેપારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

New Update
  • મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં 10 જેટલી અરજીઓ સાંભળવામાં આવી હતી

  • અરજદારોની 8 અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો

  • મામલતદાર તેમજ પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા 

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં અધિકારીઓએ ફરિયાદિને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.