નર્મદા ડેમના પાણી મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 7 સેમીની દુરી પર, નવા નીરના થશે વધામણા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતાં મહત્તમ જળ સપાટીએ પહોંચવાની સમીપ છે

New Update

સરદાર સરોવર નર્મદા ડેમના પાણી મહત્તમ સપાટીને સમીપ 

ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર 

હાલમાં ડેમમાં પાણીનું લેવલ 138.61 પહોંચ્યું 

ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકમાં વધારો 

ડેમામાં નવા નીરનાં CM દ્વારા વધામણા કરવામાં આવે તેવી શક્યતા

નર્મદા,ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતાં મહત્તમ જળ સપાટીએ પહોંચવાની સમીપ છે,માત્ર 7 સેમીની દુરી બાકી રહેતા પાણીના વધામણા કરવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતની જીવાદોરી સમાન અને નદીઓને પાણીથી તરબોળ કરતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે,ઉપરવાસમાં વરસેલા વરસાદ અને પાણીની આવક થતા ડેમની જળ સપાટી વધી રહી છે,જોકે હાલમાં ડેમની જળ સપાટીમાં બે કલાકમાં 1 સેમીનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, અને હાલમાં ઉપરવાસમાંથી 81,508 ક્યુસેક પાણીની આવક છે,અને જાવક  72,201 ક્યુસેક નોંધાઈ છે,જેને પગલે ડેમની જળ સપાટી 138.61 મીટર સુધી પહોંચી છે,જે ડેમની મહત્તમ સપાટી કરતા માત્ર 7 સેમીની દુરી પર છે.અને નર્મદા ડેમના 3 દરવાજા 1.30 સેન્ટિમીટર સુધી ખોલવામાં આવ્યા છે,જ્યારે નર્મદા,ભરૂચ અને વડોદરાના 42 જેટલા કાંઠા વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા ડેમ 99.68 ટકા ભરાયો છે,અને આવતી કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા ડેમના નવા નીરના વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો

New Update
  • ભરૂચની સેવાયજ્ઞ સમિતિનું સેવાકાર્ય

  • ભિક્ષુક વ્યક્તિને આપ્યું નવજીવન

  • સિવિલ હોસ્પિટલમાં કરાવી સારવાર

  • પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

  • કાર્યની સૌ કોઈએ કરી પ્રસંશા

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ક્રિષ્ના ચૌધરી થોડા મહિના પહેલાં અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઇ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતાં ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઇ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યાં હતાં.
સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈ ના કહેવા મુજબ તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે.તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતાં હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવસ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યાં હતાં ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતાં ભટકતાં ભરૂચ આવી ગયા હતા.
સંસ્થાના સ્વયંસેવક  પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી કુત્રિમ પગ લગાવી આપ્યો હતો ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.