ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભા સંકુલમાં યૂથ કોંગ્રેસે કર્યું ભાજપનું પૂતળા દહન..

પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું,

New Update
ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભા સંકુલમાં યૂથ કોંગ્રેસે કર્યું ભાજપનું પૂતળા દહન..

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર સંકુલના પગથિયા પર પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારે પૂતળા દહન કરનાર તમામ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગુજરાતમાં એક બાદ એક સરકારી ભરતીની પરીક્ષાના વધુ એક પેપર લીક થવાનો મામલો સામે આવ્યો છે.

Advertisment

ગત રોજ વન રક્ષક ભરતીનું પેપર લીક થયું હતું, ત્યારે યૂથ કોંગ્રેસ દ્વારા ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભાની સીડી સુધી પોહચી પૂતળા દહન કરવામાં આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ વિધાનસભામાં ધસી જઈ સરકારનું પૂતળું બાળ્યું હતું, ત્યારે સુરક્ષાના દાવા કરતી પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુથ કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા સુધી પોહચી પૂતળા દહન કર્યું હતું, ત્યારે હાલ તો યૂથ કોંગ્રેસનાં તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment