એલોવેરાના છે અનેક ગુણ, આ ત્રણ વસ્તુઓ સાથે મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી થશે દૂર

આ ત્રણ વસ્તુઓ એલોવેરા સાથે મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી દૂર થઈ જશે અને ચહેરો એકદમ ગ્લો કરશે.

New Update
એલોવેરાના છે અનેક ગુણ, આ ત્રણ વસ્તુઓ સાથે મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી થશે દૂર

આ ત્રણ વસ્તુઓ એલોવેરા સાથે મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી દૂર થઈ જશે અને ચહેરો એકદમ ગ્લો કરશે.

Advertisment W3.CSS

દરેક વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે, પરંતુ આજના સમયમાં ડાઘ ધબ્બા, ખીલ અને કરચલીઓના કારણે ફેસ બ્યુટી પર ખૂબ જ ખરાબ અસર પડે છે. અનેક લોકો આ સમસ્યાથી રાહત મેળવવા માટે કેમિકલ બેઝ્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તેના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાંથી જે જેલ નીકળે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે ચહેરો સુંદર અને યુવાન બને છે. એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

એલોવેરા અને ગુલાબજળ

એલોવેરા અને ગુલાબ જળને મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવાથી ચહેરો યુવાન અને સુંદર બને છે. ઉપરાંત રેશેઝ અને ખંજવાળ પણ દૂર થાય છે. એલોવેરા ત્વચાની એલર્જી દૂર કરવા માટે પણ ઉપયોગી છે. એલોવેરાની મદદથી ત્વચાની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

એલોવેરા અને દહીં

એલોવેરા અને દહીંને ત્વચા માટે લાભકારક માનવામાં આવે છે. આ મિશ્રણનો માસ્ક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ચહેરો વધુ ચમકીલો બને છે. દહીમાં રહેલ પ્રોબાયોટિક્સને કારણે ચહેરાની રંગતમાં સુધારો આવે છે. ઉપરાંત એન્ટિબેક્ટેરિયલ ગુણના કારણે ડાઘ ધબ્બા પણ દૂર થાય છે.

એલોવેરા અને મધ

એલોવેરા અને મધનું મિશ્રણ ચહેરા માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી સ્કીન વધુ સોફ્ટ બને છે. આ પેસ્ટ નિયમિતરૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા, કરચલી અને શુષ્કતા દૂર થાય છે.