/connect-gujarat/media/post_banners/5066448d89afda75bbe1650efd32b5f6e6e544c29bd3c325a1ab907fd6729c61.webp)
આધુનિક થતાં સમાજમાં કિચન પણ આધુનિક બની ગયા છે. લાકડા અને કોલસાની જ્ગ્યા હવે ગેસે લઈ લીધી છે અને રિફાઈન્ડ તેલનું પણ ચલણ વધી રહ્યું છે. જો કે આપણું શરીર તો એ જ છે. જે પોતાની ગતિથી એ જ રીતે ચાલે છે જેવી રીતે વર્ષોથી ચાલ્યું આવે છે. રિફાઈન્ડ તેલ, વનસ્પતિ, સોજી, મેંદો, ખાંડ, ફ્રિજમાંથી નીકળેલો સમાન વગેરે આપણને કેટલીક બીમારીઓ આપે છે. આ બધાના કારણે લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઑ જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બેડ કોલેસ્ટ્રોલ વગેરેનો ખતરો વધારી દે છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે આજે આપણે કુદરતી વસ્તુનું સેવન કરવાની જરૂર છે. જેનાથી હંમેશા તમે સ્વસ્થ રહેશો.
· રિફાઈન્ડ લોટની જગ્યાએ મોટા અનાજનો લોટ
કિચનમાં આપણે આ તો રિફાઈન્ડ લોટનો ઉપયોગ કરીએ છીએ. પણ જો તેની જગ્યાએ મોટા અનાજનો ઉપયોગ કરીશું તો આપણને ક્યારેય બ્લડ સુગર થશે નહીં અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ લોટ ખૂબ જ સારો છે કારણ કે તેનાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.
· પ્રોસેસ્ડ તેલની જ્ગ્યાએ કોલ્ડ પ્રેસ્ડ તેલનો ઉપયોગ
આપણા રસોડામાં જે તેલનો ઉપયોગ થાય છે તે પ્રોસેસ્ડ તેલ છે. તે ખૂબ જ વધારે તાપમાન પર બનાવવામાં આવે છે. તેમાં કેટલાક પ્રકારના કેમિકલ અને હૈ પોલી સેચ્યુરેટેડ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે તે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે. એટલા માટે આપણે તેની જગ્યાએ કોલ્સ પ્રેસ્ડ વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરવો જોઇએ.
· ખાંડની જગ્યાએ કરો ગોળનો ઉપયોગ
આપણે જે ખાંડ ખાઈએ છીએ તે ખૂબ જ પ્રોસેસ્ડ થઈને આવે છે. તેને સફેદ બનાવવા માટે કેટલાક પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે. અને તે બધા કેમિકલ આપના શરીરને નુકશાનકારક હોય છે. એટલા માટે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ, અથવા કોકોનટ સુગરનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
· ફ્રિજ વાળા શાકભાજી
આજકાલની લાઈફસ્ટાઇલ દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રીજમાં અઠવાડીયા સુધી શાકભાજી રાખી શકાય છે. પણ જો કોઈ શાકભાજીને ફ્રિજરમાં રાખવામા આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ભારે નુકશાન થાય છે. જો આપણે બજારમાંથી ફ્રોજન વસ્તુઓ મંગાવીએ છીએ તો તેને તાજું બનાવવા માટે તેમાં ફોર્માલડિહાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખૂબ જ નુકશાનકારક છે. એટલા માટે કોશીસ કરો કે તાજી શાકભાજી ખાવા મળે અને ફ્રીજમાં રાખો પણ ફ્રિજરમાં શાકભાજીને ના રાખો.
· ફ્રૂટ જ્યુસની જગ્યાએ તાજા ફળનું જ્યુસ પીવો
ફ્રૂટ જ્યુસમાં ફક્ત રસ જ હોય છે. તેનાથી પલ્પ નીકળી જાય છે. જેના કારણે તેમાથી ફાઈબર પણ નીકળે છે. ફાઈબર વિના જ્યુસમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે થઈ જાય છે. એટલા માટે આ ડાયાબિટીસના દર્દીઓને નુકશાન પહોચડે છે.