જાણો, વહેલા રાત્રિભોજન કરવાથી ક્યાં કયાં થાય છે ફાયદા....

રોજ બરોજની ક્રિયા આપણી જીવનશૈલીની આપણા જીવન પર ઘણી ઊંડી અસર પડે છે.

New Update
જાણો, વહેલા રાત્રિભોજન કરવાથી ક્યાં કયાં થાય છે ફાયદા....

રોજ બરોજની ક્રિયા આપણી જીવનશૈલીની આપણા જીવન પર ઘણી ઊંડી અસર પડે છે. ખરાબ જીવનશૈલીને કારણે ઘણી બીમારીઓનો શિકાર બની શકીએ છીએ. જેના કારણે અકાળે મૃત્યુ થવાની સંભાવના રહે છે. અભ્યાસ અનુશાર રાત્રિનું ભોજન વહેલું ખાવાથી તમારું આયુષ્ય વધી શકે છે. વહેલા રાત્રિભોજન કરવાના અન્ય ઘણા ફાયદા છે જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે. જાણો વહેલા ડિનર કરવાના ફાયદા.

પાચન માટે ફાયદાકારક :-

વહેલા રાત્રિનું ભોજન કરવું તમારા પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. સાંજે સાત વાગ્યાની આસપાસ રાત્રિભોજન કરવાથી સૂતા પહેલા પૂરતો સમય મળે છે, જેના કારણે ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે. મોડા રાત્રિભોજન કરવાથી એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે કારણ કે આપણા શરીરની કામગીરી ધીમી પડી જાય છે. તેથી, વહેલું રાત્રિભોજન કરવું તમારી પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે.

Read the Next Article

સુરત : જે ખોરાક તમે ખાઓ છો (અથવા સ્કીપ કરો છો) તે તમારા અંડકોષની ગુણવત્તા પર અસર કરી શકે છે : ડો.આશિતા જૈન

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, એડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.

New Update
Dr. Ashita Jain

મહિલાઓની ફર્ટિલિટી (સફળ ગર્ભધારણ) ની વાત કરીએ તો એગ (અંડકોષ)ની ગુણવત્તાએ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. પરંતુ ઉંમરની અસર ઉપરાંત એગની ગુણવત્તા ઘટવા પાછળના અન્ય ઘણા પરિબળો પર ઓછું ધ્યાન અપાય છે. જ્યારે ઉંમર એગના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરે છેત્યારે પોષણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે અને હકીકતમાં તે સુધારી શકાય તેવું પરિબળ છે.

સુરતના જાણીતા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ,બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફના ડો.આશિતા જૈને આ અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે નેચરલ કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના બેથી ત્રણ મહિના સમયગાળો સંવેદનશીલ હોય છે. આ તે સમય છે જ્યારે ઓવ્યુલેશન માટે નિયત એગ તેના વિકાસની જર્ની શરૂ કરે છે અને તેથી આ સમયગાળા દરમિયાન લેવાતા પોષક તત્વો તે એગના સ્વાસ્થ્યને નક્કી કરવા માટે જવાબદાર બને છે.

ફોલેટવિટામિન ડીઓમેગા-3 ફેટી એસિડ્સસેલેનિયમ અને CoQ10 જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઓક્સિડેટીવ સ્ટ્રેસને રોકીનેમાઇટોકોન્ડ્રિયલ ફંક્શનને સુધારીને અને સામાન્ય ક્રોમોઝોમલ ડેવલપમેન્ટને સરળ બનાવીને એગની પરિપક્વતામાં વધારો કરે છે. આ પોષક તત્વો લીલા પાંદડાવાળા શાકભાજીકઠોળબીજનટ્સસાબુત અનાજ અને ઓઇલી ફિશ જેવા ખોરાકમાંથી મળી શકે છે.

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સએડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.આ બંને સ્થિતિઓ હોર્મોનલ સંતુલન અને ઓવ્યુલેશનને નુકસાન પહોંચાડે છે. સમય જતા આ એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે અને કન્સેપ્શનને સફળ બનાવવાની સંભાવના પણ ઘટાડી શકે છે.

રિસ્ટ્રિક્ટિવ ડાયેટરી પેટર્ન પણ જોખમભરી છે. મીલ સ્કીપ કરવું અથવા ખૂબ જ ઓછી કેલરી વાળું ભોજન લેવાથી ઓવરીઝ અને મગજ વચ્ચેનો હોર્મોનલ કમ્યુનિકેશન ડિસરપ્ટ થઈ શકે છેજેના પરિણામે અનિયમિત પીરિયડ્સ અથવા ઓવ્યુલેશનમાં વિલંબ થઈ શકે છે. વધુમાં ગટ હેલ્થજેને સામાન્ય રીતે ઓછું મૂલ્ય આપવામાં આવે છેતે પોષકતત્ત્વોના શોષણ અને ઇસ્ટ્રોજન મેટાબોલિઝમને મોડ્યુલેટ કરીને રિપ્રોડક્ટિવ વેલ્બિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એ સમજવું જરૂરી છે કેપોષણ યુક્ત ભોજન માત્ર ઉંમર સંબંધિત ઘટાડાને ઊલટાવી શકાતું નથી અથવા ફર્ટિલિટીના બધા કારણોની સારવાર કરી શકતું નથીપરંતુ તે મહિલાઓના નિયંત્રણમાંના થોડા લીવર્સમાંથી એક છે,જે સીધું તેમના એગના સેલ્યૂલર હેલ્થને સપોર્ટ કરે છે.

કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના મહિનાઓ દરમિયાન શરીરને શું મળે છે તેની નોંધ લેવાથી માત્ર એગની ગુણવત્તા પર જ નહીંપરંતુ ફર્ટિલાઇઝેશન અને પ્રારંભિક ભ્રૂણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પર પણ નોંધપાત્ર ફરક પડી શકે છે.