Connect Gujarat
આરોગ્ય 

જમ્યા પછી તરત ગોળી ગળવી કેટલી ફાયદાકારક? જાણો જમ્યા પછી કેટલા સમય પછી દવા લેવી હિતાવહ.....

એલોપેથી દવાથી કોઈ પણ રોગ થોડા સમયમાં મટાડી શકાય છે.

જમ્યા પછી તરત ગોળી ગળવી કેટલી ફાયદાકારક? જાણો જમ્યા પછી કેટલા સમય પછી દવા લેવી હિતાવહ.....
X

ડૉક્ટરો પણ દવા લખી આપે છે જે મુજબ તમે તેને ખાવાથી તરત જ સાજા થઈ જશો. પરંતુ દવા લેવાની પદ્ધતિ આપણા સ્વાસ્થ્યને સારૂ કરવાની સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દર્દીએ દવા ક્યારે અને કેટલા સમય પછી લેવી છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ખોરાક લીધા પછી તરત જ દવા ખાવી એ પદ્ધતિ અયોગ્ય માનવામાં આવે છે. કારણ કે ખોરાક ખાધા પછી શરીર ગરમ થઈ જાય છે.

· બ્લડ સર્ક્યુલેશન વધે છે

જો કોઈ વ્યક્તિ ખોરાક ખાધા પછી તરત જ દવા લે છે, તો તેનું બ્લડ સર્ક્યુલેશન અનેકગણું વધી જાય છે. જે શરીર માટે હાનિકારક છે. ઘણી બાબતો એ વાત પર પણ નિર્ભર છે. દવાઓ અને ખોરાકને એકસાથે લેવાનું અયોગ્ય માનવામાં આવે છે. કારણ કે, ખોરાક લીધા બાદ શરીરનું તાપમાન વધી જાય છે. આ સ્થિતિમાં દવા લેવાથી શરીરનું તાપમાન વધે છે અને ઉલ્ટી પણ થઈ શકે છે.

જો કે, ઘણી બાબતો એ પણ આધાર રાખે છે કે, કયા પ્રકારની દવા લેવી જોઈએ અને તેની સાઇડઇફેક્ટ શું થશે? દુનિયાભરમાં લોકો અનેક પ્રકારની દવાઓ ખાય છે. કેટલાક લોકો તાવ અને હળવા માથાનો દુખાવોના કિસ્સામાં દરરોજ દવાઓ લે છે.

જો કે, મેડિકલ સ્ટોર્સ પર અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. પીડા નિવારકથી લઈને એન્ટિબાયોટિક્સ સુધી ઘણી દવાઓ છે અને બધી દવાઓ વિવિધ હેતુઓ માટે ઉદ્દેશ્યો પુરા પાડે છે. કોઈપણ દવા લેતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જો ડૉક્ટરે કહ્યું હોય કે, તમારે ભોજન કર્યા પછી તરત જ દવા લેવાની છે, તો તમારે દવા લેવી જ જોઇએ. પરંતુ તેમણે તરત જ ખાવાની આવી કોઈ સલાહ ના આપી હોય તો તમારે જમ્યા બાદ તરત જ ના ખાવી જોઈએ.

Next Story