Connect Gujarat
Featured

74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : પીએમ મોદીએ સાતમી વાર લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો

74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : પીએમ મોદીએ સાતમી વાર લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો
X

દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો. અને સાતમી વાર દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને સંબોધનમાં નામ લીધા વિના ચીન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિસ્તરણવાદના વિચારને વિસ્તૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા.

74 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પરથી દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન તરીકે સાતમી વખત લાલ કિલ્લાના અગ્રભાગથી દેશને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે આઝાદી લાખો પુત્રો અને પુત્રીઓનું સમર્પણ અને બલિદાન છે. સ્વતંત્રતાનો ઉત્સવ એ નવા સંકલ્પો માટે ઉર્જાનો અવસર છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નામ લીધા વિના ચીન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિસ્તરણવાદના વિચારને વિસ્તૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે વિસ્તારવાદની વિચારધારાએ માત્ર કેટલાક દેશોને ગુલામ બનાવીને નહીં છોડયો, વાત ત્યાં જ સમાપ્ત નહીં થઈ. ભીષણ યુદ્ધો અને ભયાનકતા વચ્ચે પણ ભારતે આઝાદીના યુદ્ધમાં નમી અને કમી નથી આવવા દીધી

Next Story