ભારત અને મોરેશિયસના પીએમ સંયુક્તપણે મોરેશિયસના નવા SC ભવનનું ઉદ્ધાટન કરશે

New Update
ભારત અને મોરેશિયસના પીએમ સંયુક્તપણે મોરેશિયસના નવા SC ભવનનું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ જુગનાથ આજે સંયુક્તરૂપે મોરેશિયસના નવા સુપ્રીમકોર્ટ ભવનનું ઉદ્ધાટન કરશે. ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ જુગનાથ આજે સંયુક્તરૂપે મોરેશિયસના નવા સુપ્રીમકોર્ટ ભવનનું ઉદ્ધાટન કરશે.. ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવશે.

આ ભવનનું નિર્માણ ભારતની આર્થિક મદદ દ્વારા કરવામાં આવ્યું છે. રાજધાની પોર્ટ લૂઈસમાં પ્રથમ ભારતીય સહાય માળખાકીય પરિયોજના અંતર્ગત આ સુપ્રીમકોર્ટ ભવન નિર્માણ પામ્યું છે. આ પરિયોજના નિર્ધારિત સમયની અંદર અને અપેક્ષાથી ઓછા સમયમાં પૂર્ણ થયું છે.

10 માળની આ ભવનની ઈમારત 4 હજાર 700 વર્ગ મીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલી છે. સુપ્રીમકોર્ટની નવી બિલ્ડિંગ બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીમાં પાયાનો પથ્થર સાબિત થશે.