ભારતની મોદી સરકારના વન નેશન વન ઈલેક્શનને 32 રાજ્યકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું

મોદી સરકારે વન નેશન-વન ઇલેક્શન'ની શક્યતાઓ શોધવા માટે કોવિંદ સમિતિની રચના કરી હતી.

New Update
a

મોદી સરકારે વન નેશન-વન ઇલેક્શન'ની શક્યતાઓ શોધવા માટે કોવિંદ સમિતિની રચના કરી હતી.

Advertisment

મોદી કેબિનેટે તે સમિતિની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. હવે શક્ય છે કે શિયાળુ સત્રમાં સંસદમાં "વન નેશન-વન ઈલેક્શનપર બિલ લાવવામાં આવે અને જો બિલ પસાર થઈ જાય તો 2029થી લોકસભામાં અને સમગ્ર દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાવી જોઈએ.

કોવિંદ સમિતિની દરખાસ્તો અનુસારપ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને ત્યારબાદ બીજા તબક્કાની ચૂંટણી 100 દિવસમાં યોજાશેજેમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશેપરંતુ વિપક્ષ કહી રહ્યા છે કે 'વન નેશન-વન ઇલેક્શન શક્ય નથી.

 તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવાનો માર્ગ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો છે. મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન પર કોવિંદ કમિટીના રિપોર્ટને મંજૂરી આપી દીધી છે. સાથે જ કોંગેસ કહી રહી છે કે એક દેશ એક ચૂંટણી નહીં ચાલે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતોજ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતુંજ્યારે 15 પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.

કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશેજ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોકસ કરી શકાશેજ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.
 

 

Advertisment

 

Advertisment
Latest Stories