Connect Gujarat
દેશ

શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી જતા 6 લોકોના મોત,હજુ 3 લોકો ગુમ

મંગળવારે (16 એપ્રિલ) સવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હતી.

શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી જતા 6 લોકોના મોત,હજુ 3 લોકો ગુમ
X

મંગળવારે (16 એપ્રિલ) સવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હતી. શ્રીનગરના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ બોટમાં 15 લોકો સવાર હતા, જેમાં 7 શાળાના બાળકો અને 8 લોકો હતા. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 લોકો હજુ પણ ગુમ છે.ઘટના અંગે માહિતી આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે અકસ્માત સવારે 7.45 થી 8ની વચ્ચે થયો હતો. વરસાદને કારણે નદીનું જળસ્તર વધી ગયું હતું, જેના કારણે વહીવટીતંત્રે એલર્ટ જાહેર કર્યું હતું. જો કે રાત્રે વરસાદ બંધ થયા બાદ પાણીની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. એસડીઆરએફ, પોલીસ અને સેના સવારથી બચાવ કામગીરી કરી રહી છે. હાલ ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે.

Next Story