મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ વળતા એક જ પરિવારના 9ના મોત

ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે

New Update
Madhypradesh Accident

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રિ બાદ નિર્માણાધીન ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાશી હતો. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રો મુજબ મૃતકોમાં એક જ પરિવારના 9 લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાય ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણવળી ગયો હતો.મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે.